<font face="mangal" size="3">આર.બી.આ ઈ. દ્વારા ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બ - આરબીઆઈ - Reserve Bank of India
આર.બી.આ ઈ. દ્વારા ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો
તારીખ : માર્ચ 09, 2018 આર.બી.આ ઈ. દ્વારા ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 12 માર્ચ 2018 થી 11 સપ્ટેમ્બર 2018 સુધી વધુ 6 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 04 જુન 2014 થી જારી કરેલા નિર્દેશ અનુસાર, આ બેંક તારીખ 12 જુન 2014 થી નિર્દેશો હેઠળ હતી. ઉપરના નિર્દેશોમાં સુધારાઓ કરવામાં આવેલા /તેની મુદત ની માન્યતામાં માં આર.બી.આઈ ના તારીખ 30 જુલાઈ 2014, 08 ડીસેમ્બર 2014, 02 જુન 2015, 07 સપ્ટેમ્બર 2015, ૧૯ ઓક્ટોબર 2015, 07 ડીસેમ્બર 2015, 04 માર્ચ 2016, 02 સપ્ટેમ્બર 2016, 25 નવેમ્બર 2016, 09 માર્ચ 2017 and 01 સપ્ટેમ્બર 2017 ના નિર્દેશો થી વધારો કરવામાં આવેલો. આ નિર્દેશો ની માન્યતા જે છેલ્લે 11 માર્ચ 2018 સુધી વધારવામાં આવેલી તેને સમીક્ષા કર્યા બાદ તારીખ 06 માર્ચ 2018 ના નિર્દેશ થી તારીખ 12 માર્ચ 2018 થી 11 સપ્ટેમ્બર 2018 સુધી વધુ 6 મહિના માટે વધારવામાં આવી છે. જાહેર જનતા ની જાણ માટે તારીખ 06 માર્ચ 2018 ના નિર્દેશ ની નકલ બેંક ના કાર્યાલય ના મકાન માં પ્રદર્શિત કરેલી છે. રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા નિર્દેશો નો ગર્ભિત મતલબ એ નથી કરવાનો કે બેંક ની નાણાકીય પરિસ્થિતિ માં સુધારો કે ઘટાડો થયો છે. પરિસ્થિતિ અનુસાર રિઝર્વ બેંક આ નિર્દેશો માં સુધારા કરી શકશે. અનિરુધ ડી. જાધવ પ્રેસ જાહેરાત : 2017-2018/2411 |