જાલોર નાગરિક સહકારી બેંક લીમીટેડ, જાલોર ઉપર આર. બી. આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ
તારીખ : જુન 05, 2017 જાલોર નાગરિક સહકારી બેંક લીમીટેડ, જાલોર ઉપર આર. બી. આઇ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક ના (i) પૃડેન્શીયલ ઇન્ટર બેંક સિંગલ એન્ડ ગ્રોસ એક્ષ્પોઝર લીમીટ માટેની આરબીઆઇ ની સુચના / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ અને (ii) સૂચિત મર્યાદા થી વધારે દાન આપવા બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાલોર નાગરિક સહકારી બેંક લીમીટેડ, જાલોર ઉપર રૂ. 5,00,000/- (અંકે રૂપિયા પાંચ લાખ) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. આ બેંક ના ઇન્સ્પેકશન રીપોર્ટ દરમ્યાન મળેલ માહિતી ને આધારે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા, આ બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ મોકલેલ છે અને આરબીઆઇ ના એકઝીકયુટીવ ડાયરેક્ટર સમક્ષ વ્યક્તિગત જવાબ પણ આપેલ છે.આ કેસ ની હકીકતો અને બેંકે આ બાબત માં આપેલ જવાબ ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2016-2017/3281 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: