ભારતીય રિઝર્વ બેંકે ગુજરાત મર્કેન્ટાઈલ કૉ-ઓપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
16 ઓક્ટોબર 2023 ભારતીય રિઝર્વ બેંકે ગુજરાત મર્કેન્ટાઈલ કૉ-ઓપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 18 સપ્ટેમ્બર, 2023ના આદેશ દ્વારા, ગુજરાત મર્કેન્ટાઈલ કૉ-ઓપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ અને ‘નગદ્ નિધિની જાળવણી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹4.50 લાખ (રૂપિયા ચાર લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(i) અને કલમ 56ની સાથે કલમ 47A (1) (c)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. પશ્ચાતભૂમિકા 31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) વિવેકપૂર્ણ આંતરબેંક સકલ એક્સપોઝર મર્યાદા નો ભંગ કર્યો હતો, (ii) વિવેકપૂર્ણ આંતરબેંક પ્રતિપક્ષ એક્સપોઝર મર્યાદા નું ઉલ્લંઘન કર્યું હતું, અને (iii) કેટલાક દિવસો માટે નગદ્ નિધિ અનુપાતની જાળવણી કરી નહોતી. તેના સંદર્ભમાં, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. (યોગેશ દયાલ) પ્રેસ જાહેરાત: 2023-2024/1117 |