RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

104374833

ભારતીય રિઝર્વ બેંકે મહેસાણા જીલ્લા સેંટ્રલ સહકારી બેંક લિ., મહેસાણા (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ

27 માર્ચ 2023

ભારતીય રિઝર્વ બેંકે મહેસાણા જીલ્લા સેંટ્રલ સહકારી બેંક લિ., મહેસાણા (ગુજરાત) પર
લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 24 માર્ચ, 2023 ના આદેશ દ્વારા, મહેસાણા જીલ્લા સેંટ્રલ સહકારી બેંક લિ., મહેસાણા (ગુજરાત) (બેંક) પર, ભારતીય રિઝર્વ બેંક – (આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)) નિર્દેશ, 2016 માં સમાવિષ્ટ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી નિર્દેશોની કેટલીક જોગવાઈઓ અને ‘સહકારી બેંકો દ્વારા શાખ સૂચના કંપનીઓ (સીઆઈસી)ના સભ્યપદ’ સબંધિત ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના ઉલ્લંઘન / અનનુપાલન બદલ 2.10 લાખ (રૂપિયા બે લાખ દસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી ઉપરોક્ત નિર્દેશોના અનુપાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં લેતા, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) (i) અને કલમ 56ની સાથે કલમ 47 એ (1) (ગ) વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ, 2022 ના રોજ બેંકની વિત્તીય સ્થિતિના સંદર્ભમાં રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) દ્વારા કરવામાં આવેલા બેંકના વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) અને તે અંગેનો નિરીક્ષણ અહેવાલ અને તે સંબંધિત સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે (i) બેંક પાસે જોખમ વર્ગીકરણની સમીક્ષા અને મોજૂદ ગ્રાહકોના કેવાયસી દસ્તાવેજોના સામયિક અપડેશન માટે કોઈ જ વ્યવસ્થા નથી; (ii) બેંકે ત્રણ શાખ સૂચના કંપનીઓ (સીઆઈસી)ને 31 માર્ચ, 2022ના રોજ ડેટા (ઐતિહાસિક ડેટા સહિત) પ્રસ્તૂત કર્યો નથી, જેના કારણે આરબીઆઈના ઉપરોક્ત નિર્દેશોનું ઉલ્લંઘન થયેલ છે. ઉક્ત બાબતોના આધાર પર, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી, જેમાં બેંકને સૂચિત કરવામાં આવ્યું કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નિર્દેશોના ઉલ્લંઘન માટે તેની પર દંડ શા માટે ન લાદવો તે અંગેનું કારણ તે દર્શાવે.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતા ઉપરોક્ત આરોપ સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

(યોગેશ દયાળ) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2022-2023/1923

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?