ભારતીય રિઝર્વ બેંકે સર્વોદય નાગરિક સહકારી બેંક લિ., હીમતનગર, જીલ્લો સાબરકાંઠા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
|
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 11 જુલાઇ 2025ના આદેશ દ્વારા, સર્વોદય નાગરિક સહકારી બેંક લિ., હીમતનગર, જીલ્લો સાબરકાંઠા, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો માટે વ્યાપક સાયબર સુરક્ષા માળખું – એક ક્રમિક અભિગમ’ અને ‘અધિકૃત ચુકવણી સિસ્ટમ નો ઉપયોગ કરતા નિષ્ફળ થયા હોય એવા વ્યવહારોને પરત કરવાનોં સમય (ટર્ન અરાઉંડ ટાઈમ) અને ગ્રાહકોના વળતરને સુમેળ બનાવવું’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹3 લાખ (રૂપિયા ત્રણ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 47એ(1)(સી) ની સાથે કલમ 46(4)(i) અને કલમ 56 ને વાંચતા અને ચુકવણી અને નિકાલ સિસ્ટમ અધિનિયમ, 2007ની કલામ 26(6)ની સાથે કલામ 30(1)ને વાંચતાં, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. 31 માર્ચ 2024ના રોજની બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના ઉલ્લંઘન અંગેના પર્યવેક્ષણીય તારણો અને તે સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને વિશેષ નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંકના જાણવામાં આવ્યું કે, અન્ય બાબતોની સાથે, બેંક વિરુદ્ધના નીચેના આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. બેંક નીચેની બાબતોમાં નિષ્ફળ પૂરવાર થઈ હતી:
આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો. (પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2025-2026/732 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: