RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

133697117

ભારતીય રિઝર્વ બેંકે શ્રી છાની નાગરિક સહકારી બેંક લિ., વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 30 જૂન 2025ના આદેશ દ્વારા, શ્રી છાની નાગરિક સહકારી બેંક લિ., વડોદરા, ગુજરાત (બેંક) પર ‘તમારા ગ્રાહકને ઓળખો (કેવાયસી)’, ‘ગ્રાહક સુરક્ષા - અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોમાં સહકારી બેંકોના ગ્રાહકોની જવાબદારી મર્યાદિત કરવી’; ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો માટે પાયાનું સાયબર સુરક્ષા માળખું’ ની સાથે ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો માટે વ્યાપક સાયબર સુરક્ષા માળખું – એક ક્રમિક અભિગમ’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹4.00 લાખ (રૂપિયા ચાર લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 47એ(1)(સી) ની સાથે કલમ 46(4)(i) અને કલમ 56 ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

31 માર્ચ 2024ના રોજની બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના ઉલ્લંઘન અંગેના પર્યવેક્ષણીય તારણો અને તે સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને વિશેષ નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંકના જાણવામાં આવ્યું કે, અન્ય બાબતોની સાથે, બેંક વિરુદ્ધના નીચેના આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

બેંક નીચેની બાબતોમાં નિષ્ફળ પૂરવાર થઈ હતી:

  1. અમુક ખાતાઓની ઓછામાં ઓછી છ માસમાં એક વખત જોખમ-વર્ગીકરણની સામયિક સમીક્ષા કરવામાં.;
  2. ગ્રાહકોને 24*7 અલગ અલગ માધ્યમથી અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોની જાણ કરવાની સુવિધા પૂરી પાડવામાં; અને
  3. ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત સાયબર સુરક્ષા માળખા હેઠળ અમુક સાયબર સુરક્ષા નિયંત્રણના પગલાં અમલમાં મૂકવામાં.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.

(પુનીત પંચોલી) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2025-2026/646

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app