ભારતીય રિઝર્વ બેંકે શ્રી સાવલી નાગરિક સહકારી બેંક લિ., જિલ્લો. વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે શ્રી સાવલી નાગરિક સહકારી બેંક લિ., જિલ્લો. વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 27 જાન્યુઆરી 2025ના આદેશ દ્વારા, શ્રી સાવલી નાગરિક સહકારી બેંક લિ., જિલ્લો. વડોદરા, ગુજરાત (બેંક) પર બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 સહપઠિત કલમ 26એ ની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ તેમજ 'પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા રોકાણ' , ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) માનદંડ' અને 'સહકારી બેંકો દ્વારા ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની (સીઆઇસી) નું સભ્યપદ' પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા કેટલાક નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹2.10 લાખ (રૂપિયા બે લાખ દસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46(4)(i) અને કલમ 56ની સાથે કલમ 47એ(1)(સી)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. 31 માર્ચ 2023 ના રોજની બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. વૈધાનિક જોગવાઇઓના / ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના ઉલ્લંઘન અંગેના પર્યવેક્ષણીય તારણો અને તે સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને ઉપર જણાવેલ જોગવાઇઓ અને નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંકના જાણવામાં આવ્યું કે, અન્ય બાબતોની સાથે, બેંક વિરુદ્ધના નીચેના આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો. (પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2024-2025/2045 |