ભારતીય રિઝર્વ બેંકે તારાપુર કો-ઓપરેટિવ અર્બન બેંક લિ., જી. આણંદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે તારાપુર કો-ઓપરેટિવ અર્બન બેંક લિ., જી. આણંદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે 13 ડિસેમ્બર 2024 ના આદેશ દ્વારા તારાપુર કો-ઓપરેટિવ અર્બન બેંક લિ., જી. આણંદ (બેંક) પર 'પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવા' અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા નિશ્ચિત નિર્દેશોનું બેંક દ્વારા ઉલ્લંઘન બદલ ₹1.00 લાખ (રૂપિયા એક લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદયો છે. બેંકિંગ નિયમન ધારો, 1949 ની કલમ 46(4) (i) અને 56 ની સાથે કલમ 47 એ (1) (સી) ની જોગવાઈઓ વંચાણે લેતાં આરબીઆઈને મળેલ સત્તાની રૂએ આ દંડ લાદવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે 31 માર્ચ 2023 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં બેંકનું વૈધાનિક નિરીક્ષણ કર્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોનું પાલન ન કરવાના નિરીક્ષણીય તારણો અને તેને સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં, ઉપરના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ તેના પર દંડ કેમ ન લાદવો તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. નોટિસ અંગે બેંકનો જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ ભારતીય રિઝર્વ બેંકને અન્ય બાબતોની સાથે બેંક સામે નીચે મુજબનો આરોપ યથાવત રહેતો હોવાનું લાગતાં આ નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે: બેંક વિવેકપૂર્ણ આંતર-બેંક પ્રતિપક્ષ એક્સપોઝર મર્યાદાનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. સદર કાર્યવાહી નિયામકીય પાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ વ્યવહાર અથવા કરારની કાયદેસરતા બાબતે કોઈ અભિપ્રાય આપવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો. (પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2024-2025/1714 |