ભારતીય રિઝર્વ બેંકે ટેક્ષટાઈલ ટ્રેડર્સ કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ
26 જૂન 2023 ભારતીય રિઝર્વ બેંકે ટેક્ષટાઈલ ટ્રેડર્સ કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ (ગુજરાત) પર ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 19 જૂન 2023 ના આદેશ દ્વારા, ટેક્ષટાઈલ ટ્રેડર્સ કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ (ગુજરાત) (બેંક) પર ‘સહકારી બેંકો – થાપણો પર વ્યાજના દરો’, ‘ગ્રાહક સુરક્ષા – અનધિકૃત ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોમાં સહકારી બેંકોના ગ્રાહકોની જવાબદારીને મર્યાદિત કરવી’ અને ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹4.50 લાખ (રૂપિયા ચાર લાખ પચાસ હજાર પૂરા) નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી ઉપરોક્ત નિર્દેશોના અનુપાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં લેતા, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 47એ (1) (ગ) ની જોગવાઈઓને કલમ 46 (4) (i) અને કલમ 56 ની સાથે વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. પશ્ચાતભૂમિકા 31 માર્ચ 2022 ના રોજ બેંકની વિત્તીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા બેંકના વૈધાનિક નિરીક્ષણ, તેને લગતા નિરીક્ષણ અહેવાલ અને જોખમ મૂલ્યાંકન અહેવાલ તેમજ તે સંબંધિત પત્રવ્યવહારની ચકાસણીમાં, અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (ક) (i) મૃત વ્યક્તિગત થાપણદારો અને એકાંકી વ્યાપારી સંસ્થાનોના નામે રહેલા ચાલુ ખાતાઓની થાપણો પર, (ii) રવિવારે / રજાના દિવસે / બિન-કારોબારી કાર્ય દિવસ ના દિવસોએ પાકતી મુદતી થાપણો પર મૂળ કરાર મુજબના દરે, (iii) પાક્યા તારીખ પૂર્વે ઉપાડી લેવામાં આવેલી મુદતી થાપણો પર વ્યાજ ચૂકવ્યું નથી, (ખ) (i) પોતાની વેબસાઇટના હોમપેજ પર અનધિકૃત ઇલેક્ટ્રોનિક વ્યવહારોના રિપોર્ટીંગ માટે સીધી લિન્ક પૂરી પાડી નહોતી, (ii) અનધિકૃત ઇલેક્ટ્રોનિક વ્યવહારોનો તુરંત રિપોર્ટ કરવા માટે બેંક દ્વારા મોકલવામાં આવેલા એસએમએસ અને ઈ-મેલ એલર્ટનો પ્રત્યુત્તર આપવા માટે ગ્રાહકોને સુવિધા પૂરી પાડી નહોતી, (ગ) તેની પાસે ખાતાઓના જોખમ સંવર્ગીકરણની સામયિક સમીક્ષા માટેની કોઈ વ્યવસ્થા અમલમાં ન હોવાને લઈને કેવાયસી માનદંડો પરના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ પૂરવાર થઈ હતી. ઉક્ત બાબતોને ધ્યાનમાં લેતા, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી, જેમાં તેને એમ પૂછવામાં આવ્યું કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નિર્દેશોના ઉલ્લંઘન માટે તેની પર દંડ શા માટે ન લાદવો તે અંગેનું કારણ તે દર્શાવે. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતા ઉપરોક્ત આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. (યોગેશ દયાળ) પ્રેસ જાહેરાત: 2023-2024/464 |