ભારતીય રિઝર્વ બેંકે ધી આણંદ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ., આણંદ , જીલ્લો આણંદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી આણંદ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ., આણંદ , જીલ્લો આણંદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે 21 ઓગસ્ટ 2025 ના આદેશ દ્વારા ગુજરાત રાજ્યના આણંદમાં આવેલી ધી આણંદ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. (બેંક) પર 'સહકારી બેંકો દ્વારા નાણાકીય સેવાઓના આઉટસોર્સિંગમાં જોખમનું સંચાલન/વ્યવસ્થાપન કરવા માટેની માર્ગદર્શિકા' અને 'તમારા ગ્રાહકને ઓળખો (કેવાયસી)' અંગે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા નિશ્ચિત નિર્દેશોનું બેંક દ્વારા પાલન ન થવા બદલ ₹2.00 લાખ (રૂપિયા બે લાખ પૂરા) નો દંડ લાદયો છે. બેંકિંગ નિયમન ધારો, 1949 ની કલમ 46(4) (i) અને 56 ની સાથે કલમ 47 એ (1) (સી) ની જોગવાઈઓ વંચાણે લેતાં ભારતીય રિઝર્વ બેંકને મળેલ સત્તાની રૂએ આ દંડ લાદવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે 31 માર્ચ 2024 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં બેંકનું વૈધાનિક નિરીક્ષણ કર્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોનું પાલન ન કરવાના નિરીક્ષણીય તારણો અને તેને સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં, ઉપરના નિર્દેશોનું પાલન કરવામાં તેની નિષ્ફળતા બદલ તેના પર દંડ કેમ ન લાદવો તે સબબ કારણ જણાવવાનું કહેવામાં આવ્યું હતું. નોટિસ અંગે બેંકનો જવાબ, તેની વધારાની રજૂઆત અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન બેંક દ્વારા કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ ભારતીય રિઝર્વ બેંકને અન્ય બાબતોની સાથે બેંક સામે નીચે મુજબના આરોપ યથાવત રહેતા હોવાનું લાગતાં આ નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે: બેંકે:
સદર કાર્યવાહી નિયામકીય પાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ વ્યવહાર અથવા કરારની કાયદેસરતા બાબતે કોઈ અભિપ્રાય આપવાનો નથી. વધુમાં, આ નાણાકીય દંડ લાદવાથી ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક સામે કરવામાં આવી શકે તેવી અન્ય કોઈ કાર્યવાહી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે. (પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2025-2026/974 |