<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંકે ધી કો-ઑપરેટીવ બેંક ઓફ રાજ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી કો-ઑપરેટીવ બેંક ઓફ રાજકોટ લિ., રાજકોટ (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ
12 જૂન 2023 ભારતીય રિઝર્વ બેંકે ધી કો-ઑપરેટીવ બેંક ઓફ રાજકોટ લિ., રાજકોટ (ગુજરાત) ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 05 જૂન 2023 ના આદેશ દ્વારા, ધી કો-ઑપરેટીવ બેંક ઓફ રાજકોટ લિ., રાજકોટ (ગુજરાત) (બેંક) પર ‘ગ્રાહકો દ્વારા અનધિકૃત વ્યવહારોનું બેંકને રિપોર્ટીંગ’ અને ‘નોંધણી પ્રમાણપત્ર અને લાઇસંસમાં દર્શાવ્યા મુજબના નામ – નો ઉપયોગ – પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી)’ અને ‘શહેરી સહકારી બેંકોમાં ઠગાઈ: દેખરેખ અને રિપોર્ટીંગ વ્યવસ્થામાં પરિવર્તન’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹10.00 લાખ (રૂપિયા દસ લાખ પૂરા) નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી ઉપરોક્ત નિર્દેશોના અનુપાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં લેતા, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 47એ (1) (ગ) ની જોગવાઈઓ ને કલમ 46 (4) (i) અને કલમ 56 ની સાથે વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. પશ્ચાતભૂમિકા 31 માર્ચ 2022 ના રોજ બેંકની વિત્તીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા બેંકના વૈધાનિક નિરીક્ષણ, તેને લગતા નિરીક્ષણ અહેવાલ અને જોખમ મૂલ્યાંકન અહેવાલ તેમજ તે સંબંધિત સમગ્ર પત્રવ્યવહાર ની ચકાસણી માં, અન્ય બાબતોની સાથોસાથ એ બાબત જાણવામાં આવી કે બેંકે (ક) (i) પોતાની વેબસાઇટના હોમપેજ પર અનધિકૃત ઇલેક્ટ્રોનિક વ્યવહારોના રિપોર્ટીંગ માટે ચોક્કસ વિકલ્પ સહિત ફરિયાદ દાખલ કરવા માટે સીધી લિન્ક પૂરી પાડી નહોતી, (ii) અનધિકૃત ઇલેક્ટ્રોનિક વ્યવહારો અને / અથવા કાર્ડ વિગેરે જેવા ચૂકવણી લેખપત્ર ના ખોવાઈ જવા યા ચોરાઈ જવાની ઘટનાઓનું રિપોર્ટીંગ કરવા માટે બહુવિધ ચેનલો થકી 24 x 7 પહોંચ પ્રદાન કરી નહોતી, (iii) બેંક દ્વારા મોકલવામાં આવેલા એસએમએસ અને ઈ-મેલ એલર્ટ પર “પ્રત્યુત્તર” દ્વારા તુરંત પ્રતિભાવ આપવા માટે ગ્રાહકોને સક્ષમ કર્યા નહોતા, (ખ) અનેક વખત સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાના નામના સંક્ષિપ્ત સ્વરૂપનો ઉપયોગ કર્યો, જેમાં બેંકિંગ લાઇસંસમાં દર્શાવેલ બેંકનું પૂરું નામ મુખ્યપણે દર્શાવવામાં આવ્યું નહોતું, તેમજ પૂરા નામ માં ઉપયોગ કરવા માં આવેલા અક્ષરો નું કદ સંક્ષિપ્ત નામમાં ઉપયોગ કરવામાં આવેલા અક્ષરોના કદ કરતાં નાનું હતું, અને (ગ) આરબીઆઈને ઠગાઈના કિસ્સાનો રિપોર્ટ નિર્ધારિત સમયમર્યાદામાં કર્યો નહોતો, જેના પરિણામે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ઉપરોક્ત નિર્દેશોનું ઉલ્લંઘન થયું હતું. ઉક્ત બાબતના આધાર પર, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી, જેમાં તેને એમ પૂછવામાં આવ્યું કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નિર્દેશોના ઉલ્લંઘન માટે તેની પર દંડ શા માટે ન લાદવો તે અંગેનું કારણ તે દર્શાવે. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતા ઉપરોક્ત આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. (યોગેશ દયાળ) પ્રેસ જાહેરાત: 2023-2024/394 |