<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેન્ક ધી ગુજરાત રાજ્ય કર્મચાર - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેન્ક ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ
19 ડિસેમ્બર 2022 ભારતીય રિઝર્વ બેન્ક ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 15 ડિસેમ્બર, 2022 ના આદેશ દ્વારા, ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ (ગુજરાત) (બેંક) પર વૈદ્યા‘વૈદ્યાનિક પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા વૈધાનિક અનામતોની જાળવણી - નગદ્ નિધિ અનુપાત (Cash Reserve Ratio – CRR) અને વૈધાનિક ચલનિધિ અનુપાતદ્યા (Statutory Liquidity Ratio – SLR) નિકલનિધિ’ અને ‘થાપણદાર કેળવણી અને જાગરૂકતા ભંડોળ યોજના, 2014 – બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 26ક – પરિચાલિત માર્ગદર્શિકાઓ’ પરના તારીખ 27 મે, 2014ના પરિપત્ર સાથે સંલગ્ન થાપણદાર કેળવણી અને જાગરૂકતા યોજના, 2014 (યોજના)ના પેરા-3 સહિત બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (અધિનિયમ)ની કલમ 26ક ની પેટા-કલમ (2) વાંચતા - ના ઉલ્લંઘન બદલ ₹3.00 લાખ (રૂપિયા ત્રણ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી ઉપરોક્ત નિર્દેશોના અનુપાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં લેતા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) (i) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. પૃષ્ઠભૂમિ 31 માર્ચ, 2019ના રોજ બેંકની વિત્તીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા બેંકના વૈધાનિક નિરીક્ષણ (statutory inspection), તેને લગતા નિરીક્ષણ અહેવાલ તેમજ તે સંબંધિત સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે લઘુત્તમ નગદ્ નિધિ અનુપાત (સીઆરઆર) જાળવ્યો નથી અને બેંકે કેટલાક ખાતાઓમાં દસ વર્ષ કરતા વધુ સમયથી અદાવી રહેલી એવી બાકીઓને થાપણદાર કેળવણી અને જાગરૂકતા ભંડોળમાં તબદીલ નથી કરી, જેના પરિણામે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ઉપરોક્ત નિર્દેશોનું ઉલ્લંઘન થયું હતું. ઉક્ત બાબતના ઉપલક્ષે, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી, જેમાં તેને એમ પૂછવામાં આવ્યું કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નિર્દેશોના ઉલ્લંઘન માટે તેની પર દંડ શા માટે ન લાદવો તે અંગેનું કારણ તે દર્શાવે. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. (યોગેશ દયાળ) પ્રેસ જાહેરાત: 2022-2023/1403 |