RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

107510874

ભારતીય રિઝર્વ બેંકે ધી જામનગર જિલ્લા સહકારી બેંક લિ. (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ

02 મે 2023

ભારતીય રિઝર્વ બેંકે ધી જામનગર જિલ્લા સહકારી બેંક લિ. (ગુજરાત) પર
લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 27 એપ્રિલ 2023 ના આદેશ દ્વારા, ધી જામનગર જિલ્લા સહકારી બેંક લિ. (ગુજરાત) (બેંક) પર બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (અધિનિયમ) ની કલમ 26ક(2) ની સાથે પઠિત ‘થાપણદાર કેળવણી અને જાગરૂકતા ભંડોળ યોજના, 2014 – બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 26ક – પરિચાલનીય માર્ગદર્શીકાઓ’ પરના તારીખ 27 મે 2014 ના પરિપત્ર સાથે સંલગ્ન થાપણદાર કેળવણી અને જાગરૂકતા ભંડોળ યોજના, 2014 (યોજના) ના પેરેગ્રાફ 3, ભારતીય રિઝર્વ બેંક (આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) નિર્દેશો, 2016, અને શાખ માહિતી કંપનીઓ (વિનિયમન) અધિનિયમ, 2005 (સીઆઈસી અધિનિયમ) ની જોગવાઈઓ અને ‘સહકારી બેંકો દ્વારા શાખ માહિતી કંપનીઓની સદસ્યતા’ પરના આરબીઆઈના નિર્દેશો ના ઉલ્લંઘન / અનનુપાલન બદલ 4.10 લાખ (રૂપિયા ચાર લાખ દસ હજાર પૂરા) નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી ઉપરોક્ત નિર્દેશોના અનુપાલન કરવામાં બેંકની નિષ્ફળતા ને ધ્યાનમાં લેતા અધિનિયમની કલમ 47ક (1)(ગ) ની સાથે પઠિત કલમ 46(4)(i) અને 56 તેમજ સીઆઈસી અધિનિયમની કલમ 25(1)(iii) સાથે પઠિત કલમ 23(4) અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવવામાં આવ્યો છે.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ 2022 ના રોજ બેંકની વિત્તીય સ્થિતિના સંદર્ભમાં રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) દ્વારા કરવામાં આવેલા બેંકના વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) અને તે અંગેનો નિરીક્ષણ અહેવાલ અને તે સંબંધિત સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે (i) બેંકે ડીઈએ ભંડોળમાં જમા કરવા પાત્ર રકમની તબદીલી કરી નહોતી; (ii) બેંક પાસે ગ્રાહકોના જોખમ વર્ગીકરણની સમીક્ષા કરવા, મોજૂદ ગ્રાહકોના કેવાયસી દસ્તાવેજોના સામયિક અપડેશન માટે કોઈ જ વ્યવસ્થા નથી; (iii) શંકાસ્પદ વ્યવહારો, જો કોઈ હોય તો, તેને ઓળખી કાઢવા માટે કોઈ જ પ્રણાલિ / સોફ્ટવેર નથી; અને (iv) બેંકે ત્રણ શાખ સૂચના કંપનીઓ (સીઆઈસી), જેની તે સદસ્ય છે, તેને ડેટા (ઐતિહાસિક ડેટા સહિત)નો રિપોર્ટ કર્યો નથી, જેના કારણે ઉપરોક્ત અધિનિયમોની જોગવાઈઓનું અને આરબીઆઈના નિર્દેશોનું ઉલ્લંઘન થયેલ છે. ઉક્ત બાબતોના આધાર પર, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી, જેમાં બેંકને સૂચિત કરવામાં આવ્યું કે ઉપરોક્ત અધિનિયમોની જોગવાઈઓ તેમજ આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ નિર્દેશોના ઉલ્લંઘન માટે તેની પર દંડ શા માટે ન લાદવો તે અંગેનું કારણ તે દર્શાવે.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

(યોગેશ દયાળ) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/158

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?