RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

104375589

ભારતીય રિઝર્વ બેંક ધી જામનગર પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જામનગર (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે

03 એપ્રિલ 2023

ભારતીય રિઝર્વ બેંક ધી જામનગર પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જામનગર (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે.

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ, 29 માર્ચ 2023ના રોજના આદેશ દ્વારા, ધી જામનગર પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, જામનગર (ગુજરાત) (બેંક) પર, ‘ઇન્કમ રેકગ્નીશન, એસેટ કલાસીફીકેશન એન્ડ પ્રોવીઝનીંગ નોર્મ્સ ફોર લોન્સ એન્ડ એડવાન્સીઝ’ તથા ‘રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા (કો-ઓપરેટીવ બેન્કસ-ઇન્ટરેસ્ટ રેટ ઓન ડીપોઝીટસ) ડાયરેકશન્સ, 2016’ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોના ઉલ્લંઘન માટે, રૂપિયા 1.00 લાખ (રૂપિયા એક લાખ માત્ર) નો નાણાકીય દંડ લાદ્યો છે. આ દંડ, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનું પાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4) (i) અને 56 સાથે વાંચેલી કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને લાદવામાં આવ્યો છે.

આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર અભિપ્રાય /નિર્ણય આપવાનો નથી.

પૃષ્ઠભૂમિ

31 માર્ચ, 2022 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં આરબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ બેંકનું વૈધાનિક નિરીક્ષણ, અને નિરીક્ષણ અહેવાલ તથા તેને સંબંધિત રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટ અને તેને લગતા તમામ સંબંધિત પત્રવ્યવહારની ચકાસણીમાં, અન્ય બાબતોની સાથોસાથ, પ્રગટ થયું છે કે, બેંકે તેની અસ્કયામતોને અવિરતપણે નોન-પરફોર્મીંગ (બિન-ઉપજાઉ) અસ્કયામતો (એનપીએ) તરીકે વર્ગીકૃત કરી ન હતી અને મુદતવીતી મુદતી થાપણો પર પાકતી તારીખથી તેની ચૂકવણી તારીખ સુધીનું બચત થાપણો પર લાગુ પડતા દરે અથવા કરાર મુજબના વ્યાજ દરે, બે માંથી જે ઓછું હોય તે, વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ રહી હતી. ઉક્ત બાબતોના આધાર પર, બેંકને નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં તેને આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ શા માટે લાદવામાં ન આવે તે અંગે કારણ બતાવવાની સલાહ આપવામાં આવી હતી.

નોટિસ પર બેંકનો જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી, આરબીઆઈ એ નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોનું પાલન ન કરવા માટેના ઉપરોક્ત આરોપો સાબિત થયા હતા અને નાણાકીય દંડ લાદવાની આવશ્યકતા હતી.

(યોગેશ દયાળ)
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/5

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?