RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

109950765

ભારતીય રિઝર્વ બેંકે ધી પાટડી નાગરિક સહકારી બેંક લિ., પાટડી, જિ. સુરેન્દ્રનગર, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 26 ડિસેમ્બર 2023ના આદેશ દ્વારા, ધી પાટડી નાગરિક સહકારી બેંક લિ., પાટડી, જિ. સુરેન્દ્રનગર, ગુજરાત (બેંક) પરજેમાં બેંકના નિર્દેશકો, તેમના સગાવ્હાલાંએ હોદ્દો ધારણ કરેલ છે અથવા હિત ધરાવે છે તેવા ટ્રસ્ટો તેમજ સંસ્થાઓને દાન, ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણસહ પઠિતનિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણજામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા, ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવીઅને ભારતીય રિઝર્વ બેંક (સહકારી બેંકોથાપણો પર વ્યાજનો દર) નિર્દેશો, 2016 પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ 10.00 લાખ (રૂપિયા દસ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)() અને 56ની સાથે કલમ 47(1)()ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે બાબત જાણવામાં આવી કે બેંકે (i) તેવા એક ટ્રસ્ટને દાન આપ્યું હતું જેમાં બેંકના નિર્દેશકોમાંના એક નિર્દેશકના સગા હિત ધરાવતા હતા, (ii) બેંકના નિર્દેશકના એક સગાંને અને જ્યાં નિર્દેશકના સગાવ્હાલાં ગેરંટીકર્તા તરીકે ઊભા હતા તેવા કિસ્સાઓમાં પણ ઋણ સુવિધાઓ મંજુર કરી હતી, (iii) વવિવેકપૂર્ણ આંતરબેંક સકલ એક્સપોઝર મર્યાદા નું અને વિવેકપૂર્ણ આંતરબેંક કાઉન્ટર પાર્ટી એક્સપોઝર મર્યાદા નું ઉલ્લંઘન કર્યું હતું અને (iv) ચાલુ ખાતાં સિવાયના ખાતાઓમાં વ્યાજ મુક્ત થાપણો સ્વીકારી હતી. તે સંદર્ભમાં, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને કથિત નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંક એવા નિષ્કર્ષ પર  આવી કે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને બેંક પર નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

યોગેશ દયાલ  
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/1701

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?