ભારતીય રિઝર્વ બેંકે ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલી ધી રણુંજ નાગરિક સહકારી બેંક લિ. પર નાણાકીય દંડ લાદયો
|
ભારતીય રિઝર્વ બેંકે 30 સપ્ટેમ્બર 2025 ના આદેશ દ્વારા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલી ધી રણુંજ નાગરિક સહકારી બેંક લિ. (બેંક) પર ‘ધિરાણ સંબંધિત વ્યવહારો (મેનેજમેન્ટ ઑફ એડવાંસીસ) – શહેરી સહકારી બેંકો’ અને ‘ગ્રાહક સુરક્ષા - અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોમાં સહકારી બેંકોના ગ્રાહકોની જવાબદારી મર્યાદિત કરવી’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા નિશ્ચિત નિર્દેશોનું બેંક દ્વારા પાલન ન થવા બદલ ₹3 લાખ (રૂપિયા ત્રણ લાખ પૂરા) નો દંડ લાદયો છે. બેંકિંગ નિયમન ધારો, 1949 ની કલમ 46(4) (i) અને 56 ની સાથે કલમ 47 એ (1) (સી) ની જોગવાઈઓ વંચાણે લેતાં ભારતીય રિઝર્વ બેંકને મળેલ સત્તાની રૂએ આ દંડ લાદવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે 31 માર્ચ 2024 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં તેનું વૈધાનિક નિરીક્ષણ કર્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોનું પાલન ન કરવાના નિરીક્ષણીય તારણો અને તેને સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં ઉપરના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ તેના પર દંડ કેમ ન લાદવો તે સબબ કારણ જણાવવાનું કહેવામાં આવ્યું હતું. નોટિસ અંગે બેંકનો જવાબ, વ્યક્તિગત સુનાવણી દરમિયાન તેના દ્વારા કરવામાં આવેલી મૌખિક તેમ જ અન્ય અતિરિક્ત રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ ભારતીય રિઝર્વ બેંકને અન્ય બાબતોની સાથે બેંક સામે નીચે મુજબના આરોપ યથાવત રહેતા હોવાનું લાગતાં આ નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે: બેંક
સદર કાર્યવાહી નિયામકીય પાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ વ્યવહાર અથવા કરારની કાયદેસરતા બાબતે કોઈ અભિપ્રાય આપવાનો નથી. વધુમાં, આ નાણાકીય દંડ લાદવાથી ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક સામે કરવામાં આવી શકે તેવી અન્ય કોઈ પણ કાર્યવાહી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે. (બ્રિજ રાજ) પ્રેસ જાહેરાત: 2025-2026/1244 |