RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

108956705

ભારતીય રિઝર્વ બેંકે ધી સુટેક્ષ કો-ઑપરેટીવ બેંક લિ., સૂરત (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 26 એપ્રિલ, 2024ના આદેશ દ્વારા, ધી સુટેક્ષ કો-ઑપરેટીવ બેંક લિ., સૂરત (ગુજરાત) (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) માટે સર્વગ્રાહી સાયબર સુરક્ષા માળખું – એક શ્રેણીબદ્ધ અભિગમ’ અને ‘નિષ્ક્રિય ખાતાઓમાં લઘુત્તમ બાકીની જાળવણી નહીં રાખવા માટે દંડ વસૂલી’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹ 5.00 લાખ (રૂપિયા પાંચ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી ઉપરોક્ત નિર્દેશોના અનુપાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં લેતા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) (i) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) ભારતીય રિઝર્વ બેંક દ્વારા તારીખ 31 માર્ચ, 2023ના રોજ કરવામાં આવ્યું હતું. આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘન સંબંધિત પર્યવેક્ષણીય તારણો (supervisory findings) અને તે સંદર્ભમાં કરવામાં આવેલા સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ, અન્ય બાબતોની સાથે, એવા નિષ્કર્ષ પર આવી કે બેંક વિરુદ્ધ લગાવવામાં આવેલા નીચેના આરોપો સાબિત થાય છે. બેંકે (i) નિર્ધારિત કરલા સમયાંતરે તેની ઇન્ટરનેટ આધારિત મોબાઈલ એપ્લીકેશનની ભેદ્યતા આકારણી અને ભેદન પરીક્ષણ (Vulnerability Assessment (VA) and Penetration Testing (PT)) નથી કર્યું, તેમજ (ii) નિષ્ક્રિય ખાતાઓમાં લઘુતમ બાકી નહીં જાળવવા બદલ દંડનીય ખરચાઓ વસૂલ કરેલા હતા.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો

 

(પુનીત પંચોલી) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2024-2025/316

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?