આરબીઆઈ જનતા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,વાઈ, જિલ્લો-સતારા પર દંડ લગાવે છે
તારીખ: 17 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ જનતા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,વાઈ, જિલ્લો-સતારા પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી જનતા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, વાઈ, જિલ્લો-સતારા પર, ભારતીય રિઝર્વ બેંક ની સૂચનાઓ/ માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 2.00 લાખ (રૂપિયા બે લાખ ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. નાણાકીય વર્ષ 2013-14 દરમ્યાન બેંક નું હાઉસીંગ/ રીયલ એસ્ટેટ/ કોમર્સિયલ રીયલ એસ્ટેટ ક્ષેત્ર નું ધીરાણ તેના અગાઉ ના વર્ષ ની કુલ ચોખ્ખી અસ્કયામતો ના 18.8% હતું જે આરબીઆઈ ના તારીખ 01 જુલાઈ 2013 ના પરિપત્ર માં નિર્દિષ્ટ 15% ની સીમા કરતા વધારે હતું. ભારતીય રિઝર્વ બેંકે બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબ માં બેંકે લેખિત પ્રત્યુત્તર રજૂ કર્યો હતો તથા તેના પર રજૂઆતો પણ કરી હતી. કેસ ના તથ્યો અને બેંક ના આ બાબત પરના પ્રત્યુત્તર પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને દંડ લગાવવો જરૂરી હતો. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016-2017/2231 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: