<font face="mangal" size="3">આર.બી.આઈ અલવર અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ, અલ - આરબીઆઈ - Reserve Bank of India
આર.બી.આઈ અલવર અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ, અલવર (રાજસ્થાન) ને નિર્દેશો જારી કરે છે
માર્ચ 09, 2017 આર.બી.આઈ અલવર અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ, અલવર (રાજસ્થાન) આથી જાહેર જનતા ને જણાવવામાં આવે છે કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS) ની કલમ 35 A ની પેટા કલમ (1) ને કલામ 56 સાથે વાંચતાં મળેલ સત્તા હેઠળ ભારતીય રિઝર્વ બેન્કે અલવર અર્બન કો ઓપરાટિવ બેન્ક લિમિટેડ, અલવર, ને નિર્દેશો જારી કર્યા છે જેમાં માર્ચ 07, 2017 ના કામકાજ ના સમય ના અંત થી ઉપરોક્ત બેન્ક આરબીઆઇ ની લેખિત મંજૂરી સિવાય, કોઈપણ લોન માંજૂર કે તેનું નવીનીકરણ, ધિરાણ, રોકાણ, કોઈપણ જવાબદારી ઊભી કરવી, જેમાં ભંડોળ ઉધાર લેવું અને નવી ડિપોઝિટ સ્વીકારવાનો સમાવેશ થાય છે, પોતાની જવાબદારી કે ફરજ ના ભાગરૂપે કે અન્ય રીતે ચુકવણી કે ચુકવણી કરવા સમત થવું, કોઇ સમાધાન કે કરાર કરીને પોતાની મિલક્તો કે અસ્કયામતો નું વેચાણ, આર.બી.આઈ ના તારીખ માર્ચ 01, 2017 ના નિર્દેશ મો જણાવ્યા સિવાય નું, કે જેની નકલ રસધરાવતા જનતા ના સભ્યો ના અવલોકન માટે બેન્કના મકાન માં પ્રદર્શિત કરેલ છે, કરવું નહીં. અર.બી.આઈ ના ઉપરોક્ત્ત નિર્દેશ માં જણાવ્યા પ્રમાણે કેટલીક શરતો ને આધીન દરેક બચત અથવા ચાલુ ખાતા અથવા અન્ય કોઈ ડિપોઝિટ ખાતા માં કુલ જમા રકમ માંથી ₹ 1,000/- (રૂપિયા એક હજાર પૂરા) સુધી નો ઉપાડ કરવા ની મંજૂરી છે. જારી કરાયેલ ઉપરના નિર્દેશોનું અર્થઘટન રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ લાયસન્સ રદ કરવા તરીકે ન કરવું જોઈએ. બેંક તેની નાણાંકીય સ્થિતિમાં સુધારો થાય ત્યાં સુધી નિયંત્રણો સાથે બેંકિંગ કારોબાર (Business) ચાલુ રાખશે. સંજોગોના આધારે રિઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ અંગે વિચારણા કરી શકે છે. અનિરુદ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન : 2016-2017/2405 |