RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502057

શ્રી ભારતી કો-ઑપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ (તેલંગાણા) ને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશ

જાન્યુઆરી 11, 2019

શ્રી ભારતી કો-ઑપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ (તેલંગાણા) ને
ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશ

ભારતીય રિઝર્વ બેંક એ વાતથી સંતુષ્ટ છે કે જનહિતને ધ્યાનમાં રાખતાં શ્રી ભારતી કો-ઑપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદને કેટલાક નિર્દેશ જારી કરવા આવશ્યક છે. તદ્દનુસાર, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંક આથી એમ નિર્દેશ કરે છે કે શ્રી ભારતી કો-ઑપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તારીખ જાન્યુઆરી 2, 2019ના રોજ બેંકિંગ કારોબારની સમાપ્તિથી, ભારતીય રિઝર્વ બેંક પાસેથી લેખિતમાં પૂર્વાનુમતિ લીધા વગર અને અહીં નીચે જણાવેલ મર્યાદા અને રીત સિવાય, કોઈ પણ લોન અને ધિરાણો મંજૂર નહીં કરે કે તેનું નવીકરણ નહીં કરે, કોઈપણ ચુકવણી નહીં કરે, ભંડોળો ઉછીના લેવા તેમજ નવી થાપણો સ્વીકારવા સહિતની કોઈ પણ જવાબદારી ઊભી નહીં કરે, પોતાના કોઈ ઋણ કે કોઈ જવાબદારીમાં થી મુક્તિ મેળવવા માટે કે અન્ય કોઈ કારણોસર કોઈ ચૂકવણી નહીં કરે તેમજ કોઈ ચૂકવણી કરવા માટે સહમતિ પણ નહીં આપે, કોઈ પણ પ્રકારની સમજૂતી કે કોઈ વ્યવસ્થા કરીને પોતાની કોઈ સંપત્તિ કે મિલકતનું વેચાણ કે ફેરબદલ નહીં કરે કે અન્ય કોઈ રીતે તેનો નિવેડો નહીં લાવે:

i. પ્રત્યેક બચત બેંક અથવા ચાલૂ ખાતામાં અથવા કોઈ પણ અન્ય કોઈ જમા ખાતામાં, તેને ચાહે ગમે તે નામથી જણાવવામાં આવે, તે બધા ખાતામાં રહેલી કુલ બાકીમાંથી પ્રત્યેક થાપણદારને 1,000/- (રૂપિયા એક હજાર ફક્ત) થી અધિક રકમનો ઉપાડ કરવાની અનુમતિ આપવી નહીં અને જ્યાં આવા થાપણદારની બેંક પ્રત્યે કોઈ પણ પ્રકારની જવાબદારી હોય એટલે કે ઉધારકર્તાના રૂપે હોય કે પછી જામીનના રૂપે હોય, તો આ રકમને પહેલા જે તે ઉધાર ખાતા/ખાતાઓમાં સમાયોજિત કરવી.

ii. હાલમાં વિદ્યમાન એવી નિયતકાલીન થાપણોનું પરિપકવતા વખતે એ જ નામ અને એ જ ક્ષમતામાં નવીનીકરણ કરવામાં આવે.

iii. ઉપર્યુક્ત નિર્દેશ અંતર્ગત આપવામાં આવેલી અનુમતિ અનુસાર ખરચ કરી શકાય છે.

iv. સરકારી/એસએલઆર અનુમોદિત જામીનગીરીઓમાં રોકાણ કરી શકાય છે.

જ્યાં સુધી ભારતીય રિઝર્વ બેંક દ્વારા લેખિત રૂપમાં વિશિષ્ટ રીતે અનુમતિ આપવામાં ન આવે ત્યાં સુધી બેંક કોઈ જવાબદારી ઊભી નહીં કરે કે કોઈનું નિપટાન નહીં કરે.

જનતાના ઇચ્છુક સદસ્યોના અવલોકનાર્થે વિસ્તૃત નિર્દેશ બેંક પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક પરિસ્થિતિઓના આધાર પર નિર્દેશમાં સુધારા કરવાનો વિચાર કરી શકે છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્દેશ જારી કરવાનું એમ અર્થઘટન કરવામાં ન આવે કે ભારતીય રિઝર્વ બેંકે બેંકનુ લાઇસંસ રદ કર્યું છે. બેંકની નાણાકીય સ્થિતિમાં સુધારો આવે ત્યાં સુધી બેંક પ્રતિબંધો સાથે બેંકિંગ કારોબાર કરવાનુ ચાલુ રાખશે. આ નિર્દેશ જાન્યુઆરી 02, 2019 ના રોજ બેંકના બેંકિંગ કારોબારની સમાપ્તિથી શરૂ કરીને છ મહિનાની અવધિ સુધી અમલમાં રહેશે અને તે સમીક્ષાને આધિન રહેશે.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન: 2018-2019/1630

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?