<font face="mangal" size="3">આરબીઆઈ કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, જિ& - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઈ કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, જિલ્લો-સતારા, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે
તારીખ: 09 નવેમ્બર 2017 આરબીઆઈ કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, જિલ્લો-સતારા, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે. ભારતીય રિઝર્વ બેન્કે (તેના તારીખ 07 નવેમ્બર 2017ના નિર્દેશ DCBS.CO.BSD-I/D-4/12.22.126/2017-18 દ્વારા) કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, જિલ્લો-સતારા, મહારાષ્ટ્ર ને નિર્દેશો હેઠળ મૂકેલ છે. નિર્દેશો અનુસાર, થાપણદારો ને, આરબીઆઈ ના નિર્દેશમાં વર્ણવેલ શરતો ને અધીન, પ્રત્યેક બચત ખાતા અથવા ચાલુ ખાતા અથવા અન્ય કોઇપણ નામે ઓળખાતા થાપણ ખાતા માં ધારણ કરેલ કુલ જમા રકમ માંથી રૂપિયા 1000/ (રૂપિયા એક હજાર માત્ર) થી વધુ નહી તેટલી રકમ ઉપાડવા દેવામાં આવશે. ધી કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, ભારતીય રિઝર્વ બેન્કની લેખિતમાં પૂર્વ મંજૂરી વિના, કોઇપણ લોન અને એડવાન્સ મંજૂર કે નવીનીકરણ કરી શકશે નહીં, કોઇપણ પ્રકારનું રોકાણ કરશે નહીં, નાણાં ઉછીના લેવા તથા નવી ડીપોઝીટ ના સ્વીકાર સહિતની કોઈ જવાબદારી ઊભી કરી શકશે નહીં, તેની જવાબદારીઓ અથવા દાયિત્વ ની મુક્તિ માટે અથવા અન્ય રીતે કોઇપણ પ્રકારની ચૂકવણી કરશે નહીં અથવા ચૂકવણી કરવા સંમત થશે નહીં, કોઈ સમાધાન અથવા વ્યવસ્થા કરી શકશે નહીં અને રીઝર્વ બેન્કના તારીખ 09 નવેમ્બર 2017ના નિર્દેશોમાં સૂચવ્યા સિવાયની તેની કોઇપણ મિલકતો કે સંપત્તિઓનું વેચાણ, તબદીલી અથવા અન્ય કોઇપણ રીતે નિકાલ કરી શકશે નહીં. નિર્દેશો 09 નવેમ્બર 2017 ના કામકાજના અંતથી જારી કરવામાં આવેલા છે. રીઝર્વ બેંક દ્વારા નિર્દેશો જારી કરવાને રીઝર્વ બેંક દ્વારા બેન્કિંગ લાયસન્સ ના રદીકરણ તરીકે અર્થઘટન ન કરવું જોઈએ. બેંક તેની નાણાકીય સ્થિતિમાં સુધારો થાય ત્યાં સુધી નિયંત્રણો સાથે બેન્કિંગ કામકાજ કરવાનું ચાલુ રાખશે. સંજોગોના આધારે, રીઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ કરવાનું વિચારી શકે છે. નિર્દેશો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વંચાણમાં લેતાં, કલમ 35 A ની પેટા કલમ (1), હેઠળ મળેલ સત્તા નો ઉપયોગ કરીને ભારતીય રીઝર્વ બેન્કે જારી કરેલા છે (લાદેલા છે). નિર્દેશોની એક નકલ જાહેરજનતાના રસ ધરાવતા સભ્યોના અવલોકન માટે બેન્કના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવેલી છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/1292 |