<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક યુનાઈટેડ ઇન્ડિયા કો-ઓપરે - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક યુનાઈટેડ ઇન્ડિયા કો-ઓપરેટીવ બેંક લી., નગીના, બિજનોર, ઉત્તરપ્રદેશ ને નિર્દેશો જારી કરે છે-નિર્દેશો પરત ખેંચવા
તારીખ: 14 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક યુનાઈટેડ ઇન્ડિયા કો-ઓપરેટીવ બેંક લી., નગીના, બિજનોર, ઉત્તરપ્રદેશ ને નિર્દેશો જારી કરે છે-નિર્દેશો પરત ખેંચવા ભારતીય રિઝર્વ બેંકે, તારીખ 08 જૂલાઈ 2015 ના નિર્દેશ દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (એએસીએસ) ની કલમ 35 A, કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ યુનાઈટેડ ઇન્ડિયા કો-ઓપરેટીવ બેંક લી., નગીના, બિજનોર, ઉત્તરપ્રદેશ ને નિર્દેશો જારી કરેલા હતા. નિર્દેશો ને સમય સમય પર લંબાવવામાં આવેલા હતા અને છેલ્લો આવો તારીખ 30 માર્ચ 2016 નો નિર્દેશ 14 ઓક્ટોબર 2016 સુધી વૈદ્ય હતો. ભારતીય રીઝર્વ બેંક, જાહેરજનતાના હિતમાં તેમ કરવું જરૂરી હોવાનો સંતોષ થતાં, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (એએસીએસ) ની કલમ 35 A ની પેટા કલમ (2), કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી યુનાઈટેડ ઇન્ડિયા કો-ઓપરેટીવ બેંક લી., નગીના, બિજનોર, ઉત્તરપ્રદેશ ને ઉપરોક્ત જારી કરેલ (વખતો વખત સુધારેલા) નિર્દેશો તારીખ 15 ઓક્ટોબર 2016 થી પાછા ખેંચે છે. નિર્દેશ ની એક નકલ જાહેરજનતા ના હિત ધરાવતા સભ્યો ના અવલોકન માટે બેંક ના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. હવે પછી બેંક નિયમિત બેંકિંગ કારોબાર કરવાનું ચાલુ રાખશે. અનિરુદ્ધ ડી જાદવ પ્રેસ પ્રકાશન: 2016-2017/929 |