<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘S’ સહિત <span style="font-family:Arial;">₹</s - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘S’ સહિત ₹ 20 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે
15 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘S’ સહિત ₹ 20 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક, મહાત્મા ગાંધી શૃંખલા – 2005ની અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા હસ્તાક્ષરિત ₹ 20/- ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. આ બેંકનોટોની બંને સંખ્યા પેનલોમાં ઇનસેટ લેટર 'S’ હશે. બેંકનોટોના પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2016' અંકિત કરેલું હશે. બહાર પાડવામાં આવનાર આ બેંકનોટોની ડિઝાઇન, મહાત્મા ગાંધી શૃંખલા-2005 ની અંતર્ગત પહેલા જારી કરેલી ₹ 20/- ના મૂલ્યવર્ગની બેંકનોટો સમાન હશે. બેંક દ્વારા પૂર્વે બહાર પાડવામાં આવેલી ₹ 20/- ના મૂલ્યવર્ગની બઘી જ બેંકનોટો વૈધ મુદ્રા તરીકે ચાલુ રહેશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/2914 |