<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત <span style="font-family:Arial;">₹</s - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત ₹ 100 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે
20 એપ્રિલ 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત ₹ 100 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક, જલ્દી થી ત્રણ વધારાની વિશેષતાઓ સાથે મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર દ્વારા હસ્તાક્ષરિત ₹ 100 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. આ બેંકનોટોની બંને સંખ્યા પેનલોમાં ઇનસેટ લેટર ‘L' હશે. પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2015' અંકિત કરેલું હશે. હવે બહાર પાડવામાં આવનાર ₹ 100 ના મૂલ્યવર્ગની આ બેંકનોટોની ડિઝાઇન સંપૂર્ણ રીતે, મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત પૂર્વે બહાર પાડેલ બેંકનોટોની સમાન જ છે. પરંતુ, આ બેંકનોટોની સંખ્યા પેનલોમાં વધતા કદના અંકો, બ્લીડ રેખાઓ તથા પાછળના ભાગ પર વિસ્તૃત ઓળખ-ચિહ્નો હશે. આ ત્રણ વિશેષતાઓવાળી આવી ₹ 100 ના મૂલ્યવર્ગની બેંકનોટ (જો કે, અલગ ઇનસેટ લેટર સહિત) પહેલેથી જ પ્રચલનમાં મૂકવામાં આવેલી છે. આ પહેલા, ભારતીય રિઝર્વ બેંક દ્વારા ₹ 100 ના મૂલ્યવર્ગમાં એવી પણ બેંકનોટ બહાર પાડવામાં આવી છે જેમાં સંખ્યા પેનલોમાં વધતા કદના અંકો હતા, પરંતુ બાકીની બે વિશેષતાઓ –બ્લીડ રેખાઓ અને વિસ્તૃત ઓળખ-ચિહ્નો હતા નહીં. આ બેંકનોટો પણ હવે બહાર પાડવામાં આવનાર બેંક નોટોની સાથે-સાથે પ્રચલનમાં રહેશે. બેંક દ્વાર પહેલા જારી કરવામાં આવેલ ₹ 100 ના મૂલ્યવર્ગની બધી જ બેંકનોટ વૈધ મુદ્રા રહેશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/2454 |