RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78505539

ભારતીય રિઝર્વ બેંકે અલવર અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર, રાજસ્થાન નું લાઇસન્સ રદ્દ કર્યું.

૬ જુલાઈ ૨૦૧૮

ભારતીય રિઝર્વ બેંકે અલવર અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર, રાજસ્થાન નું લાઇસન્સ રદ્દ કર્યું.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઇ એ), ૩ જુલાઇ ૨૦૧૮ ના આદેશ મુજબ ૫ જુલાઈ ૨૦૧૮ના રોજ કારોબાર ની સમાપ્તિ થી અલવર અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર, રાજસ્થાન નું બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવા માટેનું લાઇસન્સ રદ કર્યું છે. સહકારી મંડળીઓ ના રજિસ્ટ્રાર, રાજસ્થાન ને પણ બેંકનો કારોબાર સમાપ્ત કરવા આદેશ જારી કરવા તથા બેંક માટે ફડચા અધિકારી (લિકવીડેટરની) ની નિમણુંક કરવાની વિનંતી કરવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેંકે આ લાઇસન્સ રદ કર્યું છે કારણ કે :

  1. બેંક પાસે પૂરતી મૂડી અને આવક સંભાવના નથી. આ રીતે તે બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૨૨ (૩) (ડી) અને કલમ ૧૧(૧) ની જોગવાઈઓનું પાલન કરતી નથી.

  2. બેંક તેના વર્તમાન અને ભવિષ્યના થાપણદારોને, જ્યારે જ્યારે તેમના દાવાઓ ઉપાર્જિત થાય ત્યારે સંપૂર્ણ ચૂકવણી કરવાની સ્થિતિમાં નથી અને આમ બેંક બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૨૨ (૩) (એ) નું પાલન કરતી નથી.

  3. બેંક દ્વારા થઇ રહેલી પ્રવૃત્તિઓ તેના વર્તમાન અને ભવિષ્યના થાપણદારોના હિતને નુકસાનકારક છે અને આથી બેંક બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૨૨ (૩) (બી) નું પાલન કરતી નથી.

  4. બેંકની વર્તમાન નાણાંકીય સ્થિતિમાં તેના પુનરુદ્ધાર માટે કોઈ અવકાશ નથી.

  5. બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૨૨ (૩) (ઈ) માં ઉલ્લેખ કર્યા મુજબ બેંકિંગ ચાલુ રાખવા માટે મંજૂરી પ્રદાન કરવાથી કોઈ ઉપયોગી હેતુ સિદ્ધ નહિ થાય. સાચું કહીએ તો, જો બેંકને તેના બેન્કિંગ વ્યવસાયને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તો જાહેર હિતને પ્રતિકૂળ અસર થશે.

લાયસન્સ રદ કરવાના પરિણામે, અલવર અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર, રાજસ્થાન પર 'બેંકિંગ'ના વ્યવસાયનું સંચાલન કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ છે જેમાં બેંકિંગ વિનિયમ અધિનિયમ,૧૯૪૯ ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૫(બી) માં વ્યાખ્યાયિત થાપણોની સ્વીકૃતિ તથા થાપણોની ચુકવણી શામેલ છે

લાઇસન્સ રદ્દીકરણ અને લીક્વીડેશન (ફડચા કાર્યવાહી) શરૂ કરવા સાથે, ડીઆઈસીજીસી અધિનિયમ, ૧૯૬૧ મુજબ અલવર અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર, રાજસ્થાન ના થાપણદારોને ચુકવણી કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. લીક્વીડેશન થવા પર, દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) પાસેથી સામાન્ય નિયમો અને શરતો અનુસાર તેની / તેણીની થાપણોની ૧,૦૦,૦૦૦/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની નાણાંકીય મર્યાદા સુધીની પરત ચુકવણી માટે હકદાર છે.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન: 2018-2019/69

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?