<font face="mangal" size="3">રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ધી લોકસેવા સહકારી બે&# - આરબીઆઈ - Reserve Bank of India
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ધી લોકસેવા સહકારી બેન્ક લિ., પૂણે, મહારાષ્ટ્રના લાયસન્સને રદ કરેલ છે
18 સપ્ટેમ્બર 2017 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ધી લોકસેવા સહકારી બેન્ક લિ., પૂણે, મહારાષ્ટ્રના લાયસન્સને રદ કરેલ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 14 સપ્ટેમ્બર, 2017 ના આદેશ દ્વારા બેન્કિંગ વ્યવસાયનું સંચાલન કરવા માટે ધી લોકસેવા સહકારી બેન્ક લિ., પૂણે, મહારાષ્ટ્ર ને આપવામાં આવેલા લાઇસન્સ, 18 સપ્ટેમ્બર 2017 નાં રોજ કારોબાર ની સમાપ્તિ થી અમલમાં આવે એ રીતે રદ કરેલ છે. રજિસ્ટ્રાર, કો-ઓપરેટિવ સોસાયટીઝ (આરસીએસ), મહારાષ્ટ્રને પણ બેંકને ફડચામાં લઇ જવા આદેશ જારી કરવા અને બેન્ક માટે લીક્વીડેટરની નિમણૂક કરવાની વિનંતી કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ બેંકનું લાઇસન્સ રદ્દ કર્યું છે કારણ કે: i. બેંક પાસે પર્યાપ્ત મૂડીનું માળખું અને આવકની કોઈ સંભાવના નથી. તેથી, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે તે કલમ 11 (1) અને 22 (3) (ડી) ની જોગવાઈઓનું પાલન કરતી નથી.. ii. બેંક તેના વર્તમાન અને ભવિષ્યનાં થાપણદારો ને જ્યારે જ્યારે તેમના દાવાઓ પાકે ત્યારે પૂર્ણ ચૂકવણી કરવા માટે ની સ્થિતિમાં નથી અને આમ તે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે કલમ 22 (3) (એ) માં જણાવેલ શરતોનું પાલન કરતી નથી. iii. બેન્કની પ્રવૃત્તિઓ વર્તમાન અને ભવિષ્યના થાપણદારો નાં હિતને નુકશાનકારક હોય એ રીતે થઇ રહી છે અને આમ બેન્ક , બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે સાથે 22(3) (બી) ની શરતોનું અનુપાલન કરતી નથી. iv. બેંકને તેની સ્થિતિ સુધારવા માટે પૂરતો સમય અને તક આપવામાં આવેલ હોવા છતાં બેંકની નાણાકીય સ્થિતિમાં પુનરુત્થાનની કોઈ સંભાવના નથી. v. બેંક દ્વારા મૂડી વૃદ્ધિ અને નાણાંકીય પુનર્ગઠન માટે કોઈ હકારાત્મક પગલાં લેવામાં આવ્યાં નથી અને પુનઃસજીવન માટે નક્કર /કાર્યક્ષમ યોજના તૈયાર કરવામાં આવી નથી. અન્ય સધ્ધર બેંક સાથે મર્જર માટે બેંકે કોઈ નક્કર દરખાસ્ત રજૂ કરી નથી. આ રીતે, પૂરતો સમય અને તક આપ્યા હોવા છતાં, બેંકે નાણાકીય સ્થિતિ સુધારવા માટે કોઈ ગંભીર પ્રયત્નો કર્યા ન હતા બેંકની પરિસ્થિતિમાં સતત ખરાબી થઇ અને તે માર્ચ 31, 2013, માર્ચ 31, 2014 અને માર્ચ 31, 2015 નાં રોજની નાણાકીય સ્થિતિના નિરીક્ષણ અહેવાલોમાં જોવા મળે છે. તેથી, બેંકના વ્યવસ્થાપનની સામાન્ય છબી જાહેર હિત અથવા તેના ડિપોઝિટર્સના હિત માટે નુકશાનકારક છે.- vi. જો બેન્કને તેના બેન્કિંગ વ્યવસાય ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવે તો બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ના સેક્શન 22 (3) (ઈ)માં કલ્પિત હેતુ સિદ્ધ નહીં થાય. ઉલટું, જો બેન્કને તેના બેન્કિંગ વ્યવસાય ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે, તો તે જાહેર હિત ને વિપરીત અસર કરશે. 2. લાઇસન્સ રદ કરવાને પરિણામે, ધી લોકસેવા સહકારી બેન્ક લિ., પૂણે, મહારાષ્ટ્ર, ઉપર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સહીત કલમ 5 (બી) માં વ્યાખ્યાયિત “બેન્કિંગ” વ્યવસાય કરવા, જેમાં થાપણો સ્વીકારવા અને તેની પુનઃ ચુકવણી નો સમાવેશ થાય છે, માટે તાત્કાલિક અસર થી પ્રતિબંધ મુકવામાં આવે છે. 3. લાયસન્સ રદ્દીકરણ અને ફડચા ની કામગીરી શરુ કરવાને લીધે ધી લોકસેવા સહકારી બેન્ક લિ., પૂણે, મહારાષ્ટ્રના થાપણદારોને DICGC એક્ટ, 1961 મુજબ ચુકવણીની કામગીરી કાર્યરત કરવામાં આવશે. લિક્વિડેશનને લીધે દરેક ખાતેદાર, સામાન્ય અવધિ અને શરતો મુજબ ડીપોઝિટ ઇન્સ્યુરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી તેની / તેણી ની થાપણોની પરત ચુકવણી માટે રુ.૧,૦૦,૦૦૦/- (એક લાખ માત્ર) નાણાંકીય મર્યાદા સુધી, પ્રાપ્ત કરવા માટે હકદાર રહેશે. અનિરુધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન: 2017-2018/766 |