<font face="mangal" size="3px">36 બેંકો પર ભારતીય રિઝર્વ બેંક લાદે છે નાણાકીય Đ - આરબીઆઈ - Reserve Bank of India
36 બેંકો પર ભારતીય રિઝર્વ બેંક લાદે છે નાણાકીય દંડ
08 માર્ચ 2019 36 બેંકો પર ભારતીય રિઝર્વ બેંક લાદે છે નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) નિમ્નલિખિત 36 બેંકો પર 31 જાન્યુઆરી 2019 તેમજ 25 ફેબ્રુઆરી 2019 ના આદેશો દ્વારા, સમયબદ્ધ અમલીકરણ અને સ્વિફ્ટના સંબંધિત પરિચાલન નિયંત્રણોને મજબૂત કરવા માટે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ વિભિન્ન નિર્દેશોના ઉલ્લંઘન માટે નાણાકીય દંડ લાદેલ છે:
આ દંડ, બેંક તરફથી જારી કરવામાં આવેલા ઉપરોક્ત નિર્દેશોના અનુપાલન કરવામાં ઉપર જણાવેલ બેંકોએ દાખવેલી નિષ્ફળતાને ધ્યાનમાં રાખતાં બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 47ક (1)(ગ) ની જોગવાઈઓને કલમ 46 (4) ની સાથે વાંચતા, તે કલમો હેઠળ ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં લાદેલ છે. આ કાર્યવાહી વિનિયમનકારી અનુપાલનમાં રહેલી ઊણપો પર આધારિત છે અને તેનો ઉદ્દેશ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈ પણ લેણદેણ અથવા કબૂલાતની વૈધતા પર નિર્ણય કરવાનો નથી. પશ્ચાતભૂમિકા 50 પ્રમુખ બેંકોનું સ્વિફ્ટથી સંબંધિત પરિચાલન નિયંત્રણોના અમલીકરણ અને સુદ્દઢીકરણ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ દિશાનિર્દેશોના અનુપાલનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેનાથી એમ સ્પષ્ટ થયું કે (i) સ્વિફ્ટ વાતાવરણમાં ચુકવણી સંદેશાઓનું પ્રત્યક્ષ સર્જન, (ii) સીબીએસ / લેખા પ્રણાલી અને સ્વિફ્ટ પ્રણાલી વચ્ચે સ્ટ્રેઇટ થ્રૂ પ્રોસેસિંગ (એસટીપી)નું અમલીકરણ, (iii) એમ સુનિશ્ચિત કરવું કે જે ઉપયોગકર્તા સીબીએસમાં લેણદેણનો પ્રવેશ / પારિત / પ્રાધિકૃત કરાવી રહ્યા છે, તેઓ સ્વિફ્ટ વાતાવરણમાં કામ કરવાવાળાથી અલગ હતા, (iv) સ્વિફ્ટમાંથી સૃજિત લૉગનું સીબીએસ / લેખા પ્રણાલીમાં દર્જ તદ્દનુસાર નોંધ સાથે સ્વતંત્ર સમાધાન કરવું, (v) એક વિશેષ મર્યાદાથી અધિક સર્વે ચુકવણી સંદેશાઓ માટે અનુમતિના એક વધારાના સ્તરની શરૂઆત, અને (vi) ટી+1/ ટી+5 આધાર પર નોસ્ટ્રો સમાધાનથી સંબંધિત દિશાનિર્દેશોમાંથી બેંકોએ એક અથવા અધિક દિશાનિર્દેશોનું અનુપાલન નથી કર્યું. મૂલ્યાંકન તેમજ ઉલ્લંઘનની માત્રાના મૂલ્યાંકન પરથી તારવેલા નિષ્કર્ષોના આધાર પર 49 બેંકોને એમ સૂચિત કરતી નોટિસ (એસસીએન) જારી કરવામાં આવી હતી કે તેઓ કારણ દર્શાવે કે તેમાં જણાવ્યા અનુસાર આરબીઆઈ દ્વારા જારી દિશાનિર્દેશોના ઉલ્લંઘન માટે દંડ કેમ ન કરવામાં આવે. બેંકોથી પ્રાપ્ત ઉત્તરો, બેંકો દ્વારા માંગવામાં આવેલી વ્યક્તિગત મિટિંગમાં તેઓ દ્વારા કરવામાં આવેલી મૌખિક રજૂઆતો, અને વધારાની રજૂઆતો, જો કોઈ હોય તો, તેની તપાસ, એમ બધી જ બાબતોને ધ્યાનમાં લીધા બાદ આરબીઆઈએ પ્રત્યેક બેંકના ઉલ્લંઘનની માત્રાના આધાર પર ઉપરોક્ત 36 બેંકો પર નાણાકીય દંડ લાદવાનો નિર્ણય કર્યો. આરબીઆઈ નિરંતર આધાર પર આ નિયંત્રણોના અનુપાલનની પૂરી ગંભીરતાથી દેખરેખ રાખવાનું જારી રાખશે. જોસ જે. કત્તૂર પ્રેસ પ્રકાશન : 2018-2019/2144 |