<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેન્કે એરટેલ પેમેન્ટસ બેન્ક લ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેન્કે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 09, 2018 ભારતીય રિઝર્વ બેન્કે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) માર્ચ 07, 2018 ના રોજ ‘પેમેન્ટસ બેંકો માટે સંચાલન માર્ગદર્શિકાઓ’ તથા ‘તમારા ગ્રાહકને જાણો (KYC)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના ઉલ્લંઘન માટે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ (બેંક) પર ₹ 50 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત માર્ગદર્શિકાઓ/ દિશાનિર્દેશોનું બેંક દ્વારા પાલન કરવામાં નિષ્ફળતાને ધ્યાનમાં લઈને આ દંડ લાદવામાં આવ્યો છે. આ પગલું નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ તેના ગ્રાહકો સાથે બેન્ક દ્વારા થતા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઉચ્ચાર કરવાનો નથી. પૃષ્ઠભૂમિ બેંકે ગ્રાહકોની સ્પષ્ટ/ચોક્કસ સંમતિ વગર ગ્રાહકોના ખાતા ખોલ્યા હોવાની ફરિયાદો તથા પ્રચાર માધ્યમોના પ્રતિકુળ અહેવાલો પર આધારિત આરબીઆઈ દ્વારા 20 અને 22 નવેમ્બર 2017 દરમ્યાન સુપરવાઈઝરી વિઝીટ હાથ ધરવામાં આવી હતી. અન્ય બાબતો સાથેસાથે સુપરવાઈઝરી વિઝીટ રીપોર્ટ અને અન્ય સંબંધિત દસ્તાવેજોથી, ‘પેમેન્ટસ બેંકો માટે સંચાલન માર્ગદર્શિકાઓ’ તથા ‘તમારા ગ્રાહકને જાણો (KYC)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના ઉલ્લંઘનો જોવા મળ્યા છે. દસ્તાવેજોના આધારે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ દિશાનિર્દેશો અને માર્ગદર્શિકાઓનું અનુપાલન નહીં કરવા બદલ શા માટે દંડ વસૂલ કરવો જોઈએ નહીં તે કારણ દર્શાવવા માટે બેંકને જાન્યુઆરી 15, 2018 ના રોજ નોટિસ આપવામાં આવી હતી. બેંકનો જવાબ તથા વ્યક્તિગત સુનાવણી માં પ્રસ્તુત થયેલ મૌખિક નિવેદનોને ધ્યાનમાં લીધા પછી આરબીઆઈ એ નિષ્કર્ષ પર આવી છે કે આરબીઆઇના દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓ અંગેના બિન-પાલનના ઉપરોક્ત આરોપો સિદ્ધ થાય છે અને નાણાંકીય દંડ લાદવાની જરૂર છે. જોસ જે. કટ્ટુર પ્રેસ પ્રકાશન: 2017-2018/2410 |