<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ડસિન્ડ બેન્ક લિમિટē - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
ડિસેમ્બર 13, 2017 ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે અને બિન-ફંડ આધારિત (એનએફબી) સુવિધાઓ ને લગતા નિયમનકારી નિયંત્રણોના ઉલ્લંઘન માટે ₹ 30 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ ચોક્કસ દિશાનિર્દેશો/ માર્ગદર્શિકાઓની બેંક દ્વારા પાલન કરવામાં નિષ્ફળતા બદલ આ દંડ લાદવામાં આવ્યો છે. આ પગલું નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ તેના ગ્રાહકો સાથે બેન્ક દ્વારા થતા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઉચ્ચાર કરવાનો નથી. પૃષ્ઠભૂમિ 31 મી માર્ચ, 2016 ના રોજની તેની નાણાંકીય સ્થિતિના સંદર્ભમાં બેંકનું વૈધાનિક નિરીક્ષણ, બીજી બાબતોની સાથોસાથ, નોન-પર્ફોર્મિંગ અસ્કયામતો (એનપીએ) ની આકારણી અને એનએફબી સુવિધાઓના વિસ્તરણમાં આરબીઆઈ દ્વારા વિવિધ નિયમોનું ઉલ્લંઘન થયેલ જણાવે છે. નિરીક્ષણ અહેવાલ અને અન્ય સંબંધિત દસ્તાવેજો પર આધારિત, રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેના પર શા માટે દંડ ના લાદવો જોઈએ તે કારણ દર્શાવવા માટે 10 ઓગષ્ટ, 2017 ના રોજ બેંકને નોટિસ આપવામાં આવી હતી. બેંકનો જવાબ, વ્યક્તિગત સુનાવણી માં પ્રસ્તુત થયેલ મૌખિક નિવેદન ઉપરાંત રજૂ કરવામાં આવેલ વધારાની માહિતી અને દસ્તાવેજો ધ્યાનમાં લીધા પછી આરબીઆઈ એ નિષ્કર્ષ પર આવી છે કે આરબીઆઇના દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓ અંગેના બિન-પાલનના ઉપરોક્ત આરોપો સિદ્ધ થાય છે અને નાણાકીય દંડ લાદવાની જરૂર છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/1617 |