RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78511162

ભારતીય રિઝર્વ બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પર નાણાંકીય દંડ લાદયો છે

માર્ચ 07, 2018

ભારતીય રિઝર્વ બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પર નાણાંકીય દંડ લાદયો છે

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) માર્ચ 01, 2018 ના રોજ “બનાવટી નોટોની તપાસ અને જપ્તી” પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના બિન અનુપાલન માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (બેન્ક) પર 4 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા આ દંડ લાદવામાં આવ્યો છે.

આ પગલું નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ તેના ગ્રાહકો સાથે બેન્ક દ્વારા થતા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઉચ્ચાર કરવાનો નથી.

પૃષ્ઠભૂમિ

અન્ય બાબતોની સાથે સાથે બેંકની બે શાખાઓની કરન્સી ચેસ્ટના નિરીક્ષણમાં “બનાવટી નોટોની તપાસ અને જપ્તી” પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓનું ઉલ્લંઘન ધ્યાનમાં આવ્યું હતું. નિરીક્ષણ રીપોર્ટ અને સંબંધિત અન્ય દસ્તાવેજોના આધારે, તારીખ 5 જાન્યુઆરી 2018 ના રોજ આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ સૂચનાઓનું અનુપાલન નહીં કરવા બદલ શા માટે દંડ વસૂલ કરવો જોઈએ નહીં તે કારણ દર્શાવવા માટે બેંકને નોટિસ આપવામાં આવી હતી. બેંકનો જવાબ, અને વ્યક્તિગત સુનાવણીમાં પ્રસ્તુત થયેલ મૌખિક નિવેદનોને ધ્યાનમાં લીધા પછી આરબીઆઈ એ નિષ્કર્ષ પર આવી છે કે આરબીઆઇના દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓ અંગેના બિન-પાલનના ઉપરોક્ત આરોપો સિદ્ધ થાય છે અને નાણાંકીય દંડ લાદવાની જરૂર છે.

જોસ કટ્ટોર
મુખ્ય મહા પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2017-2018/2385

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?