<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંકે સિન્ડીકેટ બેન્ક પર નાણાč - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે સિન્ડીકેટ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે
ડિસેમ્બર 15, 2017 ભારતીય રિઝર્વ બેંકે સિન્ડીકેટ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ સિન્ડીકેટ બેંક (બેંક) પર ચેક પરચેઝ/ ડિસ્કાઉન્ટિંગ, બીલ ડિસ્કાઉન્ટિંગ અને ‘તમારા ગ્રાહકને જાણો (KYC) / એન્ટી મની લોન્ડરિંગ (AML)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા માટે ₹ 50 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરેલ ઉપરોક્ત દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓનું બેંક દ્વારા પાલન કરવામાં નિષ્ફળતા ને ધ્યાનમાં લઈને આ દંડ લાદવામાં આવ્યો છે. આ પગલું નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ તેના ગ્રાહકો સાથે બેન્ક દ્વારા થતા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઉચ્ચાર કરવાનો નથી. પૃષ્ઠભૂમિ બેંકની કેટલીક શાખાઓમાં નોંધાયેલ છેતરપિંડીના પરિણામે આ શાખાઓની આરબીઆઇ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ સંબંધમાં મળેલા સંબંધિત દસ્તાવેજોની તપાસ અને તપાસના તારણોને આધારે, આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાઓ / દિશાનિર્દેશોનું અનુપાલન નહીં કરવા બદલ શા માટે દંડ લાદવો જોઈએ નહીં તે કારણ દર્શાવવા માટે બેંકને નોટિસ આપવામાં આવી હતી. બેંકનો જવાબ, વ્યક્તિગત સુનાવણી માં પ્રસ્તુત થયેલ મૌખિક નિવેદનો ધ્યાનમાં લીધા પછી આરબીઆઈ એ નિષ્કર્ષ પર આવી છે કે આરબીઆઇના દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓ અંગેના બિન-પાલનના ઉપરોક્ત આરોપો સિદ્ધ થાય છે અને નાણાકીય દંડ લાદવાની જરૂર છે. અનિરુધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન: 2017-2018/1650 |