<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક દ્વારા ધી ભીમવરમ કો-ઓપરેટ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક દ્વારા ધી ભીમવરમ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, ભીમવરમ (આન્ધ્ર પ્રદેશ) ને આપવામાં આવેલ નિર્દેશ
તારીખ : એપ્રિલ 15, 2019 ભારતીય રિઝર્વ બેંક દ્વારા ધી ભીમવરમ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, ભીમવરમ (આન્ધ્ર પ્રદેશ) ને આપવામાં આવેલ નિર્દેશ જાહેર જનતા ના હિત માટે, ધી ભીમવરમ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, ભીમવરમ,આન્ધ્ર પ્રદેશ ને કેટલાક નિર્દેશ જારી કરવાનું ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય જણાયું છે. તદનુસાર, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકે નિર્દેશ આપેલ છે કે ધી ભીમવરમ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, ભીમવરમ (આન્ધ્ર પ્રદેશ) કે નીચે દર્શાવેલ રીતે અને દરશાવેલ હદ સિવાય ભારતીય રિઝર્વ બેંક ની અગાઉ થી લેખિત પરવાનગી વગર કોઈ નવી લોન કે એડવાન્સ આપી શકશે નહિ કે રીન્યુ કરી શકશે નહિ, કોઈ ઈન્વેસ્ટમેન્ટ કરી શકશે નહિ, લોન કે ફંડ ઉભુ કરી નવી જવાબદારી ઉભી કરી શકશે નહિ અને નવી થાપણો સ્વીકારી શકશે નહિ, તેની જવાબદારી પૂરી કરવા પેટે કોઈ રકમ ચૂકવી શકશે નહિ કે ચુકવણી માટે સહમત નહિ થાય.
ભારતીય રિઝર્વ બેંક ની ખાસ લેખીત મંજુરી સિવાય તે (બેંક) કોઈ બીજી જવાબદારી ઉભી કરી શકશે નહિ કે નીભાવી શકશે નહિ. રસ ધરાવતી જાહેર જનતા ના અવલોકન માટે આ નીર્દેશો બેંક ની જગ્યાએ વિગતે પ્રદર્શિત કરવામાં આવેલ છે, પરિસ્થિતિ અનુસાર રિઝર્વ બેંક આ નિર્દેશો માં સુધારા કરી શકશે. રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા નિર્દેશો નો ગર્ભિત મતલબ એ નથી કે રિઝર્વ બેંકે બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. આ બેંક તેનો બેન્કિંગ નો ધંધો તેની નાણાકીય પરિસ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી અંકુશો ને આધીન રહીને ચાલુ રાખી શકશે. આ નિર્દેશો નો અમલ તારીખ 28 માર્ચ, 2019 ના રોજ બંધ થતા ધંધા ની તારીખ થી છ મહિના સુધી રહેશે. અનિરુદ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન : 2018-2019/2454 |