<font face="mangal" size="3">રૂ. 500 અને રૂ. 1000 ની વર્તમાન બેંક નોટો ના કાયદેસરના  - આરબીઆઈ - Reserve Bank of India
રૂ. 500 અને રૂ. 1000 ની વર્તમાન બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- મર્યાદા (limits) ફેરફાર
RBI/2016-17/129 13 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય, રૂ. 500 અને રૂ. 1000 ની વર્તમાન બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- મર્યાદા (limits) ફેરફાર ઉપરોક્ત વિષય પર ના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No.1226 /10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ. સમીક્ષા ને અંતે, મર્યાદાઓમાં (limits) નીચે પ્રમાણે કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે.
2. સરકારી પેન્શનરો માટે વાર્ષિક જીવન પ્રમાણપત્ર (Annual Life Certificate) કે જે પ્રતિ વર્ષે નવેમ્બરમાં રજુ કરવાનું હોય છે, તે રજુ કરવાની તારીખ 15 જાન્યુઆરી 2017 સુધી લંબાવવામાં આવી. 3. બેન્કો ને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે અલગ લાઈન ની વ્યવસ્થા કરવાનું જણાવવામાં આવ્યું છે. તેજ પ્રમાણે, Specified બેંક નોટો નો રોકડ માં વિનિમય કરવા આવનાર અને બેંક ખાતાઓમાં ડીપોઝીટ કરવા આવનાર માટે અલગ લાઈન ની વ્યવસ્થા કરવામાં આવે. 4. બેન્કોને, બેંક ખાતાઓમાંથી ઉપાડ માટે, બીઝનેસ કોરસપોન્ડન્ટસ ની રોકડ વિતરણ ની મર્યાદા રૂ. 2500 સુધી વધારવાનું જણાવાયું છે. 5. ઉપરોક્ત સુધારાઓ તત્કાલ અસર થી અમલ માં આવશે. 6. કૃપયા પ્રાપ્તિ સુચના મોકલો આપનો વિશ્વાસુ, (પી. વિજય કુમાર) |