<font face="mangal" size="3">નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દરો માં સુધારો</font> - આરબીઆઈ - Reserve Bank of India
નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દરો માં સુધારો
RBI/2016-17/82 13 ઓક્ટોબર 2016 ચેરમન / મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય, નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દરો માં સુધારો ઉપરોક્ત વિષય પર ના અમારા તારીખ 07 જુલાઈ 2016 ના પરિપત્ર DGBA.GAD.13/15.02.005/2016-17 નો સંદર્ભ જુઓ. ભારત સરકારે તેના તારીખ 29 સપ્ટેમ્બર 2016 ના Office Memorandum (OM) No.F.No.1/04/2016–NS.II અને તારીખ 03 ઓક્ટોબર 2016 ના જાહેરનામા (Notification) No.5(4)-B(PD)/2016 દ્વારા નાણાકીય વર્ષ 2016-17 ના ત્રીજા ત્રિમાસિક સમય માટે વિવિધ નાની બચત યોજનાઓ પરના સુધારેલા વ્યાજ દરો જણાવેલ છે (નકલ સંલગ્ન). 2. આ પરિપત્ર નું વિષયવસ્તુ આવશ્યક કાર્યવાહી માટે સરકારી નાની બચત યોજનાઓનું સંચાલન કરતી તમારી બેંક ની શાખાઓના ધ્યાન પર લાવવામાં આવે. આ યોજનાઓ ના ફાળો આપનારા/ ગ્રાહકો ની માહિતી માટે તેમને તમારી શાખાઓના નોટીસ બોર્ડ પર પ્રદર્શિત કરવામાં આવે. આપનો વિશ્વાસુ (વી. એસ. પ્રાજીશ) સંલગ્નક: ઉપર મુજબ |