<font face="mangal" size="3px">વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના  - આરબીઆઈ - Reserve Bank of India
વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- ફેરફારો
RBI/2016-17/146 21 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય, વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- ફેરફારો ઉપરોક્ત વિષય પર ના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No.1226 /10.27.00/2016-17 નું અવલોકન કરો. 2.સમીક્ષા ના અંતે, બેંક ખાતાઓમાંથી ઉપાડ ની મર્યાદાઓમાં કેટલાંક સુધારાઓ કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે: (i) ખેડૂતો માટે: ખેડૂતોને તેમના લોન (કિસાન ક્રેડીટ કાર્ડ લીમીટ સહિત) અથવા ડીપોઝીટ ખાતાઓમાંથી, તેમના ખાતાઓ પ્રવર્તમાન કેવાયસી ધોરણો માટે અનુપાલીત હોવાની શરતે, પ્રતિ સપ્તાહ રૂપિયા 25,000/- સુધી રોકડ માં ઉપાડ કરવા દેવામાં આવશે. (ii) એ. પી. એમ. સી. બજારો / મંડીઓ સાથે નોંધાયેલા વેપારીઓ માટે: હાલમાં, તમામ ચાલુ ખાતા ધારકોને, કેટલીક શરતોને અધિન, તેમના ચાલુ ખાતાઓ માંથી એક સપ્તાહ માં રૂપિયા 50,000/- રોકડમાં ઉપાડ કરવા દેવામાં આવે છે અને તેને (સવલતને) હવે એ. પી. એમ. સી. બજારો / મંડીઓ સાથે નોંધાયેલા વેપારીઓ માટે લંબાવવામાં આવે છે. આવા વેપારીઓને તેમના ચાલુ ખાતાઓમાંથી રૂપિયા 50,000/- સુધી ઉપાડ કરવાની મંજૂરી આપવામાં આવે છે, જો આવા ખાતાઓ પ્રવર્તમાન કે વાય સી ધોરણો માટે અનુપાલીત હોય અને છેલ્લા ત્રણ માસ કે વધુ સમય થી કાર્યરત / સક્રિય હોય. 3. કૃપયા પ્રાપ્તિ સૂચના મોકલો. આપનો વિશ્વાસુ, (પી. વિજયકુમાર) |