<font face="mangal" size="3px">શ્રી બી.પી. કાનુનગો, ભારતીય રિઝર્વ બેંકના નવા ક - આરબીઆઈ - Reserve Bank of India
શ્રી બી.પી. કાનુનગો, ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશક
1 માર્ચ 2016 શ્રી બી.પી. કાનુનગો, ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશક શ્રી બી.પી. કાનુનગોએ ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશકના રૂપમાં આજે કાર્યભર ગ્રહણ કર્યો છે. તેઓ વિેદેશી મુદ્રા વિભાગ, સરકારી અને બેંક લેખા વિભાગ તથા આંતરિક ઋણ પ્રબંધક વિભાગ સંબંધી કાર્ય સંભાળશે. કાર્યપાલક નિર્દેશકનો કાર્યભાર સંભાળતા પહેલા શ્રી કાનુનગો કેન્દ્રીય બેંકરના રૂપમાં એમના કાર્યકાળ દરમ્યાન વિદેશી મુદ્રા વિભાગના પ્રભારી હતા. તેના પહેલા તેઓ રિઝર્વ બેંકની જયપુર તથા કોલકાતા ક્ષેત્રીય કાર્યાલયના ક્ષેત્રીય નિર્દેશક હતા તથા મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના બેંકિંગ લોકપાલ તરીકે રહ્યા હતા. શ્રી બી.પી. કાનુનગો વિનયનમાં અનુસ્નાતકની ઉપાધિ ધરાવે છે અને ભારતીય બેંકર સંસ્થાનના પ્રમાણપત્રિત એસોસિએટ છે. તેઓ કાયદામાં પણ સ્નાતકની ઉપાધિ (એલ.એલ.બી.) ધરાવે છે. અલ્પના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન : 2015-2016/2053 |