RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78522878

સોવરીન સુવર્ણ બૉન્ડ યોજના 2018-19

આરબીઆઇ/2018-19/57
આંઋપ્રવિ.સીડીડી.સં.821/14.04.050/2018-19

08 ઓક્ટોબર 2018

અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક
સર્વે અનુસૂચિત વ્યાપારી બેંકો
(ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને બાકાત રાખતાં)
નામિત ટપાલ કાર્યાલયો
સ્ટૉક હોલ્ડિંગ કૉર્પોરેશન ઑફ ઇંડિયા લિમિટેડ (એસએચસીઆઈએલ)
નેશનલ સ્ટૉક એક્સચેંજ ઑફ ઇંડિયા લિમિટેડ અને બૉમ્બે સ્ટૉક એક્સચેંજ લિમિટેડ

મહોદય/મહોદયા,

સોવરીન સુવર્ણ બૉન્ડ યોજના 2018-19

ભારત સરકારે, તારીખ ઓક્ટોબર 08, 2018ની અધિસૂચના એફ.સં.4(22)-ડબલ્યુઅનેએમ/2018 દ્વારા, સોવરીન સુવર્ણ બૉન્ડ યોજના 2018-19 (બૉન્ડસ) ની ઘોષણા કરી છે. આ યોજના અંતર્ગત પ્રત્યેક અભિદાનના માટે અલગ શ્રુંખલા (શ્રુંખલા II થી શરૂ કરીને) હશે જે રોકાણકારોને જારી કરવામાં આવેલ બૉન્ડ પર દર્શાવવામાં આવેલ હશે. ભારત સરકાર પૂર્વ સૂચના આપીને યોજનાને નિર્ધારિત અવધિ પહેલા બંધ કરી શકે છે. બૉન્ડ જારી કરવા માટેના નિયમો અને શરતો નીચે આપવામાં આવેલ છે.

1. રોકાણ માટે પાત્રતા

આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિ જે ભારતમાં નિવાસી છે તે તેની વ્યક્તિગત ક્ષમતામાં અથવા તો સગીર બાળક વતી અથવા કોઈ અન્ય વ્યક્તિ સાથે સંયુક્ત રીતે બૉન્ડ્સ ધારણ કરી શકે છે. બૉન્ડ ટ્રસ્ટ, હિન્દૂ અવિભક્ત પરિવાર, ધર્માદા સંસ્થા તેમજ વિશ્વવિદ્યાલયો દ્વારા પણ ધારણ કરી શકાય છે. “ભારતમાં નિવાસી વ્યક્તિ” ની વ્યાખ્યા વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ, 1999 ની બે સહપાઠિત કલમો 2 (વી) અને 2(યુ) માં આપવામાં આવેલી છે.

2. જામીનગીરીનું ફોર્મ

સરકારી જામીનગીરી અધિનિયમ, 2006ની કલમ 3 ની જોગવાઈ મુજબ આ બૉન્ડ્સ ભારત સરકાર સ્ટોકના ફોર્મમાં જારી કરવામાં આવશે. રોકાણકારને ધારણ પ્રમાણપત્ર – (ફોર્મ સી) જારી કરવામાં આવશે. બૉન્ડ્સનું ડી-મેટ સ્વરૂપમાં રૂપાંતર કરી શકાશે.

3. જારી કરવાની તારીખ

આપેલ સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થયેલ આવેદન પત્રો માટે બૉન્ડ બીજા સપ્તાહના બીજા કાર્ય દિવસે જારી કરવામાં આવશે.

4. મૂલ્યવર્ગ

બૉન્ડ્સનું મૂલ્યવર્ગીકરણ એક ગ્રામ સુવર્ણના એકમમાં અને તેના ગુણાંકમાં કરવામાં આવશે. રોકાણની લઘુત્તમ મર્યાદા 1 ગ્રામની તથા મહત્તમ મર્યાદા પ્રતિ નાણાકીય વર્ષ (એપ્રિલ-માર્ચ)માં પ્રત્યેક વ્યક્તિ માટે 4 કિલોગ્રામ, હિંદૂ અવિભક્ત પરિવાર (એચયુએફ)ના માટે 4 કિલોગ્રામ અને ટ્રસ્ટ તથા ભારત સરકાર દ્વારા સમય-સમય પર અધિસૂચિત સમાન સંસ્થાઓ માટે 20 કિલોગ્રામની રહેશે.
શરતો એ છે કે

i) સંયુક્ત ધારણના કિસ્સાઓમાં, ઉપરોક્ત મર્યાદા ફક્ત પહેલા આવેદકને જ લાગૂ પડશે;

ii) વાર્ષિક મહત્તમ મર્યાદામાં સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક નિર્ગમ (initial issue)ની વિવિધ શ્રુંખલાઓમાં લીધેલા બૉન્ડ્સ અને સેકન્ડરી બજારમાંથી ખરીદેલા બૉન્ડ્સનો સમાવેશ થશે; અને

iii) રોકાણની મર્યાદામાં બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા સંપાર્શ્વિકના રૂપમાં ધારણ કરેલા બૉન્ડ્સનો સમાવેશ કરવામાં નહીં આવે.

5. નિર્ગમ કિંમત (Issue Price)

ઇન્ડીયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) દ્વારા જાહેર કરવામાં આવતા 999 પ્રમાણ શુદ્ધ સુવર્ણના, અભિદાન સમયના અગાઉના અઠવાડીયાના છેલ્લા ત્રણ દિવસના, બંધભાવની સાદી સરેરાશના આધાર ઉપર બૉન્ડ્સની કિંમત ભારતીય રૂપિયામાં નક્કી કરવામાં આવશે. ઓનલાઇન આવેદન કરતાં અને ચૂકવણી ડિજિટલ માધ્યમથી કરનાર રોકાણકારો માટે સુવર્ણ બૉન્ડ્સની નિર્ગમ કિંમત તેની નોમિનલ કિંમતથી 50 પ્રતિ ગ્રામ ઓછી રહેશે.

6. અભિદાનની અવધિ (Period of Subscription)

આ યોજના અંતર્ગત સુવર્ણ બૉન્ડ્સ માટે અભિદાન નીચે આપેલ કલમ 7 માં દર્શાવ્યા મુજબ ખોલવામાં આવશે.

એ શરતે કે કેન્દ્ર સરકાર પૂર્વ સૂચના આપીને ઉપર દર્શાવેલ નિર્ધારિત અવધિ પહેલા કોઈ પણ સમયે યોજના બંધ કરી શકે છે.

7. નિર્ગમ કેલેન્ડર

ક્રમાંક શ્રુંખલા અભિદાનનો સમય નિર્ગમ તારીખ
1 2018-19 શ્રુંખલા II ઓક્ટોબર 15-19, 2018 ઓક્ટોબર 23, 2018
2 2018-19 શ્રુંખલા III નવેમ્બર 05-09, 2018 નવેમ્બર 13, 2018
3 2018-19 શ્રુંખલા IV ડીસેમ્બર 24-28, 2018 જાન્યુઆરી 01, 2019
4 2018-19 શ્રુંખલા V જાન્યુઆરી 14-18, 2019 જાન્યુઆરી 22, 2019
5 2018-19 શ્રુંખલા VI ફેબ્રુઆરી 04-08, 2019 ફેબ્રુઆરી 12, 2019

8. વ્યાજ

બૉન્ડ્સ ઉપર એક વર્ષના 2.50 ટકા (અચલિત દર)ના દરે નોમિનલ મૂલ્ય પર જારી કર્યાની તારીખથી વ્યાજ આપવામાં આવશે. આ વ્યાજ અર્ધ-વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવશે અને અંતિમ વ્યાજ બૉન્ડ્સ પરિપકવ થવાના સમયે મુદ્દલની રકમ સહિત ચૂકવવામાં આવશે.

9. પ્રાપ્તકર્તા કાર્યાલયો (Receiving Offices)

અનુસૂચિત વ્યાપારી બેંકો (પ્રાદેશિક ગ્રામીણ બેંકોને બાદ કરતાં), નિર્દિષ્ટ ટપાલ કાર્યાલયો (અધિસૂચિત કરવામાં આવે તે મુજબ), સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઑફ ઇંડિયા લિમિટેડ (એસએચસીઆઈએલ) અને માન્ય સ્ટૉક એક્સચેન્જ જેવાકે નેશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇંડિયા લિમિટેડ અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ લિમિટેડ બૉન્ડ્સના આવેદન પત્રો પ્રત્યક્ષ રીતે યા એજન્ટ દ્વારા, સ્વીકારવા માટે અધિકૃત છે.

10. ચૂકવણીના વિકલ્પો

ચૂકવણી ભારતીય રૂપિયામાં, યા તો રોકડમાં મહત્તમ 20,000 સુધી યા ડીમાન્ડ ડ્રાફ્ટ થકી યા ચેકથી યા ઇલેકટ્રોનિક બેંકિંગની સ્વીકારવામાં આવશે. જ્યાં ચૂકવણી ચેક અથવા ડ્રાફ્ટથી કરવામાં આવતી હોય ત્યાં તે પ્રાપ્તકર્તા કાર્યાલયની તરફેણમાં લખવાના રહેશે.

11. મોચન (Redemption)

i) બૉન્ડ્સ જારી કર્યાની તારીખથી આઠ વર્ષ પૂર્ણ થયા પર તેનું મોચન કરવામાં આવશે. બૉન્ડનું સમયપૂર્વે મોચન તેના જારી કર્યાની તારીખથી પાંચમા વર્ષથી વ્યાજ ચૂકવણીના દિવસે કરી શકાશે.

ii) બૉન્ડ્સના મોચનની કિંમત ભારતીય રૂપિયામાં નક્કી કરવામાં આવશે અને આવી મોચન કિંમત ઇન્ડીયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) દ્વારા જાહેર કરવામાં આવતી 999 પ્રમાણ શુદ્ધ સુવર્ણના છેલ્લા ત્રણ દિવસના બંધભાવની સાદી સરેરાશના આધારે નક્કી કરવામાં આવશે.

12. પરત-ચૂકવણી

રિઝર્વ બેંક / નિક્ષેપાગાર રોકાણકારને બૉન્ડ્સની અવધિ સમાપ્તિની તારીખ વિષે અવધિ સમાપ્તિના એક માસ પહેલા જાણ કરશે.

13. વૈદ્યાનિક ચલનિધિ અનુપાત (એસએલઆર) માટેની પાત્રતા

ગ્રહણાધિકાર/હાઇપોથિકેશન/ગિરો પ્રક્રિયાના માધ્યમથી બેંકો દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા બૉન્ડ્સને વૈદ્યાનિક ચલનિધિ અનુપાત માટે ગણતરીમાં લેવાશે.

14. બૉન્ડ્સની સામે લૉન

બૉન્ડ્સનો ઉપયોગ લૉન માટે સંપાર્શ્વિક (collateral) તરીકે કરી શકાશે. આરબીઆઈ દ્વારા અધિકૃત કરવામાં આવતી સામાન્ય સુવર્ણ લૉનમાં લાગૂ પડતો લૉન અને મૂલ્યનો ગુણોત્તર આ લૉનમાં પણ લાગૂ પડશે. નિક્ષેપાગાર (depository)માં બૉન્ડ્સ ઉપર અધિકૃત બેંકો દ્વારા બોજો અંકિત કરવામાં આવશે. સોવરીન સુવર્ણ બૉન્ડ્સની સામે લૉન આપવાની બાબત લૉન આપનાર બેંક/સંસ્થાના નિર્ણયને આધિન રહેશે અને સોવરીન સુવર્ણ બૉન્ડના ધારક તેને અધિકારના રૂપે ગણી શકશે નહીં.

15. ટેક્ષ ટ્રીટમેન્ટ

આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈ મુજબ બૉન્ડ્સ ઉપર મળતું વ્યાજ કરપાત્ર થશે. વ્યક્તિને સોવરીન સુવર્ણ બૉન્ડના મોચનથી પ્રાપ્ત થતા મૂડીગત લાભને કરમાંથી મૂક્તિ આપવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિને બૉન્ડના હસ્તાંતરણ પર પ્રાપ્ત થતો દીર્ઘકાલીન મૂડીગત લાભના માટે સૂચીકરણ લાભ (indexation benefit) ઉપલબ્ધ કરાવવામાં આવશે.

16. આવેદન પત્રો

બૉન્ડ્સ માટેનું આવેદન પત્ર નિર્ધારિત આવેદન ફોર્મ (ફોર્મ ‘એ’) માં સુપ્રત કરવાનું રહેશે અથવા અન્ય કોઈ ફોર્મ જે તેના જેવું જ હોય તેમાં કરવું જેમાં સુવર્ણના ગ્રામ અંગેની વિગત તેમજ અરજદારનુ આખું નામ અને સરનામાની વિગતો સ્પષ્ટપણે જણાવેલી હોય. દરેક આવેદન પત્ર સાથે આવકવેરા વિભાગ દ્વારા રોકાણકાર(રો)ને જારી કરવામાં આવેલ ‘પાન નંબર’ અવશ્ય હોવો જોઈએ. પ્રાપ્તકર્તા કાર્યાલય અરજદારને તેની સામે સ્વીકૃતિ અંગેની પહોંચ ફોર્મ ‘બી’ માં જારી કરશે.

17. નામાંકન (Nomination)

સરકારી જામીનગીરી અધિનિયમ, 2006 (2006ની 38) તેમજ ભારતના રાજપત્ર તારીખ 01 ડીસેમ્બર 2007ના વિભાગ-III ની કલમ-4 માં પ્રકાશિત થયેલા ભારત જામીનગીરી વિનિયમો, 2007 ની જોગવાઈઓ મુજબ નામાંકન અને તેનું રદ્દીકરણ અનુક્રમે ફોર્મ ‘ડી’ અને ફોર્મ ‘ઈ’ માં કરવાનું રહેશે. બિન-નિવાસી ભારતીય વ્યક્તિ કોઈ મૃતક રોકાણકારના નામિત (nominee) હોવાને જામીનગીરીને લઈને પોતાના નામમાં નીચેની શરતોએ તબદીલ કરી શકશે.

i) બિન-રહેવાસી ભારતીય વ્યક્તિએ પૂર્વ મોચન (early redemption) સુધી અથવા અવધિ-સમાપ્તિ સુધી જામીનગીરીને ધારણ કરી રાખવાની રહેશે,

ii) રોકાણ પરનું વ્યાજ તેમજ પરિપકવ રાશિનું પ્રત્યાવર્તન થઈ શકસે નહીં.

18. હસ્તાંતરણ

ભારત જામીનગીરી અધિનિયમ, 2006 (2006ની 38) તેમજ ભારતના રાજપત્ર તારીખ 01 ડીસેમ્બર 2007ના વિભાગ-III ની કલમ-4 માં પ્રકાશિત થયેલા ભારત જામીનગીરી વિનિયમો, 2007 ની જોગવાઈઓ અનુસાર બૉન્ડ્સનું હસ્તાંતરણ, તે માટેના હસ્તાંતરણ માટના ફોર્મ - ફોર્મ ‘એફ’ માં કરી શકાશે.

19. બૉન્ડમાં લે-વેચ

ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિસૂચિત કરવામાં આવેલી તારીખથી બૉન્ડ્સ લે-વેચ કરવાને પાત્ર બનશે.

20. અભિદાન એકત્ર કરવા માટેનું કમીશન

પ્રાપ્તકર્તા કાર્યાલયને, કુલ સ્વીકારેલા આવેદન પત્રો સાથે આવેલી કુલ અભાદનની રકમના સો રૂપિયા દીઠ એક રૂપિયો કમિશન આપવામાં આવશે અને પ્રાપ્તકર્તા કાર્યાલય તેમાંથી ઓછામાં ઓછા 50 ટકા જેટલું કમિશન એજન્ટો અને સબ-એજન્ટોને કામકાજ મેળવવા બદલ વહેંચશે.

21. ભારત સરકારના નાણાં મંત્રાલય (આર્થિક બાબતોનો વિભાગ) તરફથી તારીખ 27 માર્ચ 2018ના રોજ જારી કરવામાં આવેલ અધિસૂચના એફ.સં.4(2) ડબલ્યુ એન્ડ એમ/2018 માં દર્શાવેલ અન્ય સર્વે નિયમો અને શરતો બૉન્ડ્સને લાગુ પડશે.

22. સોવરીન સુવર્ણ બૉન્ડ્સ સંબંધિત પરિચાલન માર્ગદર્શિકાઓ તારીખ ઓક્ટોબર 08, 2018 ના પરિપત્ર આંઋપ્રવિ.સીડીડી.સં. 822/14.04.050/2018-19 થકી જારી કરવામાં આવી છે.

ભવદીય,

(ષૈનિ સુનિલ)
ઉપ મહાપ્રબંધક

સંલગ્ન: ઉપર મુજબ

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?