RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

137972594

ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે

તારીખ: 23 ફેબ્રુઆરી 2018

ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે

તારીખ 7 ફેબ્રુઆરી 2018 ના નાણાકીય નિતી નિવેદનમાં કરેલ જાહેરાત અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA હેઠળ આરબીઆઈ પાસે નોંધાયેલ એનબીએફસી વિરુદ્ધ ફરિયાદોના નિવારણ માટે, આજે 23 ફેબ્રુઆરી 2018 ના નોટીફીકેશન દ્વારા ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) માટે લોકપાલ યોજના શરુ કરેલ છે. આ યોજના હેઠળ આવરી લેવાયેલ એનબીએફસી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓમાં ક્ષતિઓ અંગે એક ખર્ચ વિહોણું અને ઝડપી ફરિયાદ નિવારણ તંત્ર આ યોજના દ્વારા પૂરું પાડવામાં આવશે. એનબીએફસી લોકપાલોના કાર્યાલયો ચાર મેટ્રો સેન્ટરો જેવા કે ચેન્નાઈ, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીમાં કાર્યરત હશે અને સંબંધિત ક્ષેત્રોમાં ગ્રાહકોની ફરિયાદો હાથ ધરશે.

શરૂઆતમાં, આ યોજના ડીપોઝીટ સ્વીકારતી તમામ એનબીએફસીને આવરી લેશે. પ્રાપ્ત અનુભવના આધારે, આરબીઆઈ ગ્રાહક ઇન્ટરફેસ સાથે રૂપિયા એક બિલિયન અને તેથી વધુ સંપત્તિ કદ ધરાવતી એનબીએફસીને આવરી લેવા માટે યોજનાનો વ્યાપ વધારશે.

આ યોજના એક એપેલેટ તંત્ર પૂરું પાડે છે જેના હેઠળ ફરિયાદી / એનબીએફસીને લોક્પાલના નિર્ણય વિરુદ્ધ એપેલેટ ઓથોરીટી સમક્ષ અપીલ કરવાનો વિકલ્પ આપે છે.

યોજનાની સંપૂર્ણ માહિતી આરબીઆઈની વેબ-સાઈટ પર ઉપલબ્ધ છે.

જોશ જે. કત્તુર
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2017-2018/2289

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?