<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે
તારીખ: 23 ફેબ્રુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે તારીખ 7 ફેબ્રુઆરી 2018 ના નાણાકીય નિતી નિવેદનમાં કરેલ જાહેરાત અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA હેઠળ આરબીઆઈ પાસે નોંધાયેલ એનબીએફસી વિરુદ્ધ ફરિયાદોના નિવારણ માટે, આજે 23 ફેબ્રુઆરી 2018 ના નોટીફીકેશન દ્વારા ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) માટે લોકપાલ યોજના શરુ કરેલ છે. આ યોજના હેઠળ આવરી લેવાયેલ એનબીએફસી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓમાં ક્ષતિઓ અંગે એક ખર્ચ વિહોણું અને ઝડપી ફરિયાદ નિવારણ તંત્ર આ યોજના દ્વારા પૂરું પાડવામાં આવશે. એનબીએફસી લોકપાલોના કાર્યાલયો ચાર મેટ્રો સેન્ટરો જેવા કે ચેન્નાઈ, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીમાં કાર્યરત હશે અને સંબંધિત ક્ષેત્રોમાં ગ્રાહકોની ફરિયાદો હાથ ધરશે. શરૂઆતમાં, આ યોજના ડીપોઝીટ સ્વીકારતી તમામ એનબીએફસીને આવરી લેશે. પ્રાપ્ત અનુભવના આધારે, આરબીઆઈ ગ્રાહક ઇન્ટરફેસ સાથે રૂપિયા એક બિલિયન અને તેથી વધુ સંપત્તિ કદ ધરાવતી એનબીએફસીને આવરી લેવા માટે યોજનાનો વ્યાપ વધારશે. આ યોજના એક એપેલેટ તંત્ર પૂરું પાડે છે જેના હેઠળ ફરિયાદી / એનબીએફસીને લોક્પાલના નિર્ણય વિરુદ્ધ એપેલેટ ઓથોરીટી સમક્ષ અપીલ કરવાનો વિકલ્પ આપે છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી આરબીઆઈની વેબ-સાઈટ પર ઉપલબ્ધ છે. જોશ જે. કત્તુર પ્રેસ પ્રકાશન: 2017-2018/2289 |