બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 – (સહકારી સમિતિઓ પર યથાલાગૂ)ની
કલમ 35ક ની પેટા-કલમ (2)ના અંતર્ગત સર્વ-સમાવેશી નિર્દેશ પાછો ખેંચવો –
શ્રી ગણેશ સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર
માર્ચ 29, 2019 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 – (સહકારી સમિતિઓ પર યથાલાગૂ)ની ભારતીય રિઝર્વ બેંકે લોકહિતમાં બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓને યથાલાગૂ) ની કલમ 35ક ની પેટા-કલમ (1) સાથે કલમ 56 ને વાંચતા, તે અંતર્ગત પ્રદાન કરવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરતાં શ્રી ગણેશ સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર, ને તારીખ એપ્રિલ 01, 2013ના રોજ કારોબાર સમાપ્તિથી સર્વ-સમાવેશી નિર્દેશ જારી કરવામાં આવ્યા હતા. ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓને યથાલાગૂ) ની કલમ 35ક ની પેટા-કલમ (2) અંતર્ગત પ્રદાન કરવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરતાં, આ સર્વ-સમાવેશી નિર્દેશ, તારીખ માર્ચ 26, 2019ના રોજ કારોબારની સમાપ્તિથી પાછો ખેંચવામાં આવેલ છે. હવે પછી બેંક નિયમિત બેંકિંગ કારોબાર કરવાનું ચાલુ રાખશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/2316 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: