<font face="mangal" size="3">રૂપિયા 500 તથા રૂપિયા 1000 ની નોટોના કાયદેસરના ચલણ ત - આરબીઆઈ - Reserve Bank of India
રૂપિયા 500 તથા રૂપિયા 1000 ની નોટોના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પાછો ખેંચવો: RBI નોટીસ
તારીખ: 08 નવેમ્બર 2016 રૂપિયા 500 તથા રૂપિયા 1000 ની નોટોના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પાછો ખેંચવો: RBI નોટીસ ભારત સરકારે, તેમના તારીખ 08 નવેમ્બર 2016 ના જાહેરનામાં નં. – 2652 અન્વયે, ભારતીય રીઝર્વ બેંક દ્વારા 08 નવેમ્બર 2016 સુધીમાં જારી કરેલ મહાત્મા ગાંધી શ્રેણીની રૂપિયા 500 તથા રૂપિયા 1000 ના મૂલ્ય વર્ગોની બેન્કનોટોના કાયદેસરના ચલણ તરીકેના દરજ્જાને પાછો ખેંચ્યો છે. ભારતીય બેંક નોટોની નકલ કરવાની સમસ્યા હલ કરવા, રોકડમાં સંગ્રહાયેલ કાળા નાણાંને અસરકારક રીતે નાબૂદ કરવા અને આતંકવાદને નકલી નોટો દ્વારા નાણા પૂરા પાડવાના કાર્યને નિયંત્રિત કરવા આમ કરવું જરૂરી હતું. તારીખ 10 નવેમ્બર 2016 થી શરૂ કરીને, આ નોટો ધરાવનાર જાહેરજનતા / કોર્પોરેટ, ધંધાકીય પેઢીઓ, સોસાયટીઓ, ટ્રસ્ટો વગેરે તેમને ભારતીય રીઝર્વ બેંક ની કોઇપણ ઓફિસે અથવા કોઇપણ બેંક શાખાએ રજૂ કરી શકશે અને તેમના બેન્ક્ખાતાઓમાં જમા દ્વારા તેનું મૂલ્ય મેળવી શકશે. તેમની તાત્કાલીક રોકડ જરૂરિયાત અંગે, વ્યક્તિ દીઠ રૂપિયા 4000 ના મૂલ્ય સુધીની આ નોટો આં બેંકોની શાખાઓના કાઉન્ટર પર રોકડ ના બદલામાં વિનીમય કરી શકાશે. આ વિનીમય સવલત નો લાભ લેવા માટે જનતા ને ઓળખ નો વૈધ પુરાવો રજૂ કરવાની સલાહ આપવામાં આવે છે. તેમના બેંક ખાતાઓમાં જમા કરેલ મૂલ્ય નો મુક્તપણે ચેક ઇસ્યુ કરીને અથવા ટ્રાન્સફર માટેની વિવિધ ઈલેક્ટ્રોનિક પદ્ધતિઓ જેવી કે NEFT, RTGS, IMPS, મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ વગેરે દ્વારા નાણા મોકલીને ઉપયોગ કરી શકશે. તારીખ 09 નવેમ્બર 2016 થી 24 નવેમ્બર 2016 ના કામકાજ ના અંત સુધી બેંકના કાઉન્ટર પર થી બેંક ખાતાઓ માંથી રોકડ ઉપાડ એક અઠવાડિયા માં રૂપિયા 20000 ની ઓવરઓલ મર્યાદાને અધીન, પ્રત્યેક દિવસે રૂપિયા 10000 ની મર્યાદિત રકમ સુધી પ્રતિબંધિત રહેશે. હવે પછી આ મર્યાદાની સમિક્ષા કરવામાં આવશે. રીકેલીબ્રેશન માટે તમામ ATM અને બીજા cash મશીનો તારીખ 09 નવેમ્બર 2016 ના રોજ બંધ રહેશે. જયારે તેઓ તૈયાર હશે, ત્યારે તેમને પુનઃકાર્યાન્વીત કરાશે અને ATM માંથી રોકડ ઉપાડ તારીખ 18 નવેમ્બર 2016 સુધી વ્યક્તિદીઠ કાર્ડદીઠ રૂપિયા 2000 સુધી મર્યાદિત રહેશે અને તારીખ 19 નવેમ્બર 2016 થી વ્યક્તિદીઠ કાર્ડદીઠ મર્યાદા રૂપિયા 4000 સુધી વધારવામાં આવશે. કોઇપણ વ્યક્તિ જે સૂચિત બેન્કનોટોને તારીખ 30 ડીસેમ્બર 2016 કે તે પહેલાં બદલવા અથવા તેમના બેંક ખાતાઓમાં જમા કરવા અસમર્થ હશે તેને રીઝર્વ બેંક દ્વારા સૂચિત હવે પછીની તારીખ સુધી રીઝર્વ બેંક ના સૂચિત કાર્યાલયોમાં તેમ કરવાની અન્ય કોઈ સવલત માટે તક આપવામાં આવશે. જાહેરજનતા વધુ માહિતી માટે RBI ની વેબસાઈટ www.rbi.org.in અને સરકારની વેબસાઈટ www.finmin.nic.in ની મુલાકાત લઇ શકે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1142 |