RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

115420789

ભારતીય રિઝર્વ બેંકે ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 25 જૂન, 2024ના આદેશ દ્વારા, ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત (બેંક) પર ‘વિત્તીય પત્રકો – રજૂઆત અને ખુલાસાઓ’, ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’, ‘સહકારી બેંકો – થાપણો પર વ્યાજના દર’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન તેમજ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (બીઆર અધિનિયમ)ની કલમ 35ની પેટા-કલમ (2)ની સાથે પઠિત કલમ 56ની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ ₹.7,50,000 (રૂપિયા સાત લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બીઆર અધિનિયમની કલમોં 46(4)(ટ) અને 56ની સાથે પઠિત કલમ 47A(1)(ગ)ની જોગવાઈઓ તેમજ બીઆર અધિનિયમની કલમોં 46(2) અને 56ની સાથે પઠિત કલમ 47A(1)(ક)ની જોગવાઈઓ અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

31 માર્ચ, 2023ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. વૈધાનિક જોગવાઈ / ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના અનનુપાલન સંબંધિત પર્યવેક્ષણીય તારણો (supervisory findings) અને તે સંદર્ભમાં કરવામાં આવેલા સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશો તેમજ બીઆર અધિનિયમની જોગવાઈઓનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંક, અન્ય બાબતોની સાથે, એવા નિષ્કર્ષ પર આવી કે બેંક વિરુદ્ધ લગાવવામાં આવેલા નીચે મુજબના આરોપો સાબિત થયા છે, જેના કારણે નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. બેંકે (1) તેના વાર્ષિક અહેવાલમાં પાકા સરવૈયાના સંદર્ભમાં મૂકેલી ‘હિસાબો અંગેની નોંધો’ માં ભારતીય રિઝર્વ બેંક દ્વારા લાદવામાં આવેલા દંડ અંગે ઉલ્લેખ નહોતો કર્યો; (2) ભારતીય રિઝર્વ બેંકના નિરીક્ષણ અધિકારી(ઓ)ને જોઈતી બેંકની બાબતોને લગતી સંપૂર્ણ માહિતી તેમજ દસ્તાવેજો પૂરા નહોતા પાડ્યા; (3) વિવેકપૂર્ણ આંતરબેંક (પ્રતિપક્ષ) એક્સપોઝર મર્યાદાનો ભંગ કર્યો હતો; અને (4) પરિપકવ થયેલી મુદતી થાપણો પર થાપણ પરિપકવ થયાની તારીખથી તેની ચૂકવણીની તારીખ સુધી લાગૂ પડતા દરે વ્યાજ નહોતું આપ્યું.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.

(પુનીત પંચોલી) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2024-2025/608

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?