<font face="mangal" size="3">કાર્ડ નોટ પ્રેઝન્ટ વ્યવહારો –રૂ. 2000 સુધી ની ચૂકĒ - આરબીઆઈ - Reserve Bank of India
કાર્ડ નોટ પ્રેઝન્ટ વ્યવહારો –રૂ. 2000 સુધી ની ચૂકવણીઓ માટે પ્રમાણીકરણ ના વધારાના પરિબળ માં
છૂટછાટ-કાર્ડ નેટવર્ક દ્વારા પુરા પાડવામાં આવેલા પ્રમાણીકરણ ઉકેલો માટે
RBI/2016-17/172 06 ડીસેમ્બર 2016 ચેરમન / મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારીઓ મહોદયા / મહોદય, કાર્ડ નોટ પ્રેઝન્ટ વ્યવહારો –રૂ. 2000 સુધી ની ચૂકવણીઓ માટે પ્રમાણીકરણ ના વધારાના પરિબળ માં ભારતીય રીઝર્વ બેંક છૂટક ચૂકવણીઓ ની સિસ્ટમો ની સલામતી અને કાર્યક્ષમતા વધારવા માટે બધાજ સહભાગીઓના સમાવેશ સાથે સંખ્યા બંધ પગલાં લઇ રહી છે. આ સંબંધમાં, કાર્ડ વ્યવહારોને સમાવતા સલામતી અને જોખમ શમનના પગલાં પર સમય સમય પર વિવિધ સૂચનાઓ, ઓન લાઈન એલર્ટ અને પ્રમાણીકરણના વધારાના પરિબળ પરના નિર્દેશો સહિત, જારી કરી છે. આ પગલાંઓ એ કાર્ડ દ્વારા ચૂકવણીઓનો ઉપયોગ કરવામાં ગ્રાહક વિશ્વાસને વધારવામાં ફાળો આપેલો છે. 2. ભારતીય રીઝર્વ બેન્કને નાના મૂલ્યના ઓન લાઈન કાર્ડ ગેરહાજર વ્યવહારો (કાર્ડ નોટ પ્રેઝન્ટ ટ્રાન્જેક્શન – CNP) માટે એ. એફ. એ. ની જરૂરિયાતની સમિક્ષા કરવા માટે ઉદ્યોગના ચોક્કસ વિભાગો તરફથી વિનંતીઓ પ્રાપ્ત થઇ રહેલી છે. મોટાભાગની વિનંતીઓ એ. એફ. એ. જરૂરિયાતો પર ચોક્કસ વેપારી છૂટછાટો માટે હતી, તે સીસ્ટમ સ્તર પર યોગ્ય ન હતી. અધિકૃત કાર્ડ નેટવર્કો દ્વારા પૂરા પાડવામાં આવેલ વૈકલ્પિક ઊકેલ નાના મૂલ્યના વ્યવહારો માટે પૂરતી સલામતી સાથે ગ્રાહક સુવિધાના ઉદ્દેશ ને પૂરો કરવાની અપેક્ષા છે. આ મોડલમાં, કાર્ડ ઇસ્યુ કરનાર બેંક તેમના ગ્રાહકોને વૈકલ્પિક ધોરણે સંબંધિત કાર્ડ નેટવર્કનું “પેમેન્ટ ઓથેન્ટિકેશન સોલ્યુશન્સ” ઓફર કરશે. આ સવલત સ્વીકારનાર ગ્રાહકોએ કાર્ડની વિગતોની નોંધ વગેરે અને ઇસ્યુ કરનાર બેંક દ્વારા એ. એફ. એ. ની જરૂરિયાત વાળી એકવાર નોંધણી પ્રક્રિયા કરવી પડશે. ત્યારપછી, નોંધાયેલા ગ્રાહકોએ આ ઉકેલ ઓફર કરતા વેપારી સ્થળોએ પ્રત્યેક વ્યવહાર માટે કાર્ડની વિગતોની પુન:નોંધ કરવાની જરૂર રહેશે નહીં અને તે દ્વારા તેમનો સમય અને મહેનત બચશે. આ મોડલમાં, નોંધાયેલી કાર્ડની વિગતો એ પ્રથમ પરિબળ હશે જયારે સોલ્યુશન માં લોગીન કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ઓળખ (સોલ્યુશન પૂરો પાડનાર કાર્ડ નેટવર્ક દ્વારા પુષ્ટિ કરાયેલ) પ્રમાણીકરણ માટે વધારાનું પરિબળ હશે. 3. તે મુજબ, અધિકૃત કાર્ડ નેટવર્ક દ્વારા કાર્ડ ઇસ્યુકરનાર અને એક્વાયરીંગ બેન્કોની સહભાગિતા સાથે પૂરા પાડવામાં આવેલ “પેમેન્ટ ઓથેન્ટિકેશન સોલ્યુશન” માટે ઓન લાઈન સી. એન. પી. વ્યવહારો અંગે રૂપિયા 2000/- સુધીની લેવડદેવડ માટે એ. એફ. એ. ની જરૂરિયાતમાં, શરતોને અધિન, છૂટછાટ આપવામાં આવી રહી છે: (i) માત્ર અધિકૃત કાર્ડ નેટવર્ક્સ કાર્ડ ઇસ્યુકરનાર અને એક્વાયરીંગ બેન્કોની સહભાગિતા સાથે આવા પેમેન્ટ ઓથેન્ટિકેશન સોલ્યુશન્સ પૂરા પાડશે. (ii) ગ્રાહક સંમતિ, આ સોલ્યુશન તેમને ઉપલબ્ધ કરવામાં આવે ત્યારે લેવામાં આવશે. (iii) આવા સોલ્યુશન્સ હેઠળ એ. એફ. એ. માટેની છૂટછાટ તમામ વેપારી શ્રેણીઓમાં કાર્ડ નોટ પ્રેઝન્ટ વ્યવહારો માટે પ્રત્યેક ટ્રાન્જેક્શન દીઠ મહત્તમ મૂલ્ય રૂપિયા 2000/- માટે લાગુ પાડવામાં આવશે. બેંકો અને કાર્ડ નેટવર્ક્સ તેમના ગ્રાહકોને સવલત આપવા નીચી પ્રતિ ટ્રાન્જેક્શન લીમીટ નક્કી કરવા માટે મુક્ત છે. (iv) રૂપિયા 2000/- ની વ્યવહાર મર્યાદા ઉપરના, કાર્ડ નોટ પ્રેઝન્ટ વ્યવહારને ફરજિયાત એ. એફ. એ. સાથે પ્રવર્તમાન સૂચનાઓ પ્રમાણે પ્રોસેસ કરવો પડશે; આ મર્યાદાથી નીચેના વ્યવહાર મૂલ્યો માટે પણ, ગ્રાહક હાલની જેમ, એ. એફ. એ. ના અન્ય પ્રકારો નો ઉપયોગ કરીને ચૂકવણી કરવાનું પસંદ કરી શકે છે. (v) યોગ્ય જણાય તો, બેંકો / કાર્ડ નેટવર્ક્સ યોગ્ય વેગ નિયંત્રણો (કોઈ એક દિવસ / અઠવાડિયા / માસ માં કેટલા નાના મૂલ્યના વ્યવહારો કરવા દેવામાં આવશે) અમલમાં મૂકી શકે છે. (vi) પ્રવર્તમાન ચાર્જબેક પ્રક્રિયામાં કોઈ ફેરફાર નથી. 4. આગળ, ગ્રાહક જાગરૂકતા અને રક્ષણ ના હિતમાં, બેંકો અને એવા સોલ્યુશન ઓફર કરનાર અધિકૃત કાર્ડ નેટવર્ક્સ ને જણાવવામાં આવે છે કે: (i) ગ્રાહકોને જાણવા દો કે આ સોલ્યુશન એ માત્ર રૂપિયા 2000/- સુધીના કાર્ડ નોટ પ્રેઝન્ટ વ્યવહારો માટે એક વૈકલ્પિક સવલત છે અને તેઓ, હાલની જેમ, એ. એફ. એ. ના અન્ય પ્રકારોનો ઉપયોગ કરીને ચૂકવણીઓ કરવા મુક્ત છે. (ii) ગ્રાહકોને તેના ઉપયોગ, જોખમ અને ગ્રાહક ફરિયાદના નિવારણ માટેના વ્યવસ્થાતંત્ર તથા બહુવિધ માધ્યમો મારફત ફરિયાદ ના રીપોર્ટીંગ વિષે શિક્ષિત કરો. (વેબસાઈટ, ફોન બેન્કિંગ, એસ. એમ. એસ., આઈ. વી. આર. વગેરે) (iii) ગ્રાહકોની નોંધણી કરતી વખતે ગ્રાહક પર પડનારી મહત્તમ જવાબદારી, જો હોય તો, અને લેવડદેવડ કરતી વખતે થયેલ કોઇપણ ગોટાળા માટે રિપોર્ટ કરવાની ગ્રાહકની જવાબદારી દર્શાવો. (iv) કોઇપણ પ્રકારના સલામતીના ભંગના પ્રસંગે અને ઓથોરાઇઝ્ડ નેટવર્કમાં સમાધાન અંગે સંપૂર્ણ જવાબદારી ઊઠાવો. 5. નેટવર્ક લેવલે યોગ્ય વ્યવસ્થા / કરારો દ્વારા અધિકૃત કાર્ડ નેટવર્ક ઓપરેટરો અન્ય અધિકૃત કાર્ડ નેટવર્કમાંથી કાર્ડ ધારકોની સહભાગિતા ની સવલત આપી શકે છે. 6. આ ડાયરેક્ટીવ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ 2007 (એક્ટ 51 ઓફ 2007) ની કલમ 10 (2), કલમ 18 સાથે વંચાણમાં લેતાં, હેઠળ જારી કરવામાં આવ્યો છે. આપની વિશ્વાસુ, (નંદા એસ. દવે) |