પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016
તારીખ: 07 ફેબ્રુઆરી 2017 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016 ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં તારીખ 16 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન નંબર S.O. 4061 (E) દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત સરકાર દ્વારા સૂચિત) 17 ડીસેમ્બર 2016 (શનિવાર) થી 31 માર્ચ 2017 (શુક્રવાર) સુધી ડીપોઝીટ કરી શકાશે. આ સંબંધમાં, ભારત સરકારે ઘોષણાકર્તા ને પીએમજીકેડીએસ, 2016 માં એક અથવા વધુ પ્રસંગે/સમયે ડીપોઝીટ કરવાની છૂટ આપવાનો નિર્ણય કરેલો છે. તદઅનુસાર, નોટીફીકેશન ના પેરા 4(4) ને નીચે મુજબ સુધારવામાં આવેલ છે. “4. અભિદાન તથા બોન્ડ્ઝ લેજર એકાઉન્ટ માં રોકાણ ની પદ્ધતિ- આ યોજના હેઠળ ની કલમ 199F ની પેટા કલમ (1) અન્વયે કરવાની ડીપોઝીટ એક અથવા વધુ પ્રસંગે/ સમયે કરી શકાશે. આવી ડીપોઝીટ કલમ 199 C ની પેટા કલમ (1) અન્વયે કરવાની ઘોષણા ફાઈલ કર્યા પહેલાં કરવી પડશે.” અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/2116 |