<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક (RBI) બેંકિંગ ઓમબડ્સમેન યોજના - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક (RBI) બેંકિંગ ઓમબડ્સમેન યોજના સુધારે છે-ખોટી રીતે કરેલ વેચાણ,
મોબાઈ /ઈલેક્ટ્રોનિક બૅન્કિંગ ને લગતી (સંબધિત) ફરિયાદો નો સમાવેશ કરે છે
જૂન 23, 2017 ભારતીય રિઝર્વ બેંક (RBI) બેંકિંગ ઓમબડ્સમેન યોજના સુધારે છે-ખોટી રીતે કરેલ વેચાણ, ભારતીય રિઝર્વ બેન્ક, બેન્કો દ્વારા અન્ય પ્રોડક્ટસ સાથે સાથે વીમો / મ્યુચ્યુઅલ ફંડ / અન્ય-(થર્ડ-third) પાર્ટી ની રોકાણ યોજનાઓ જેવી (વિવિધ) પ્રોડક્ટ્સ ના કરતા વેચાણ ને કારણે ઉદભવેલ ખામીઓ નો સમાવેશ કરવા માટે, બેંકિંગ ઓમબડ્સમેન યોજના 2006, નો વ્યાપ વધારે છે. આ સુધારેલ યોજના અંતર્ગત ગ્રાહક, ભારત માં મોબાઈલ બેંકિંગ /ઈલેક્ટ્રોનિક બેંકિંગ જેવી સેવા ને લગતી RBI ની સૂચનાઓ નું પાલન ન કરવા માટે બેન્ક સામે ફરિયાદ કરી શકે છે. એવોર્ડ પાસ કરવા માટે ના બેન્કિંગ ઓમ્બડ્સમેન ના નાણાંકીય અધિકારક્ષેત્રને હાલના એક મિલિયન રૂપિયા થી વધારી બે મિલિયન રૂપિયા કરી દેવામાં આવ્યું છે. ફરિયાદી ને તેના થયેલ સમય ની બરબાદી, ખર્ચ અને સાથે સાથે થયેલ હેરાનગતિ અને સહન કરવી પડેલ માનસિક વેદના માટે પણ બેંકિંગ ઓમબડ્સમેન સો હજાર રૂપિયા થી વધુ નહીં ના વળતર માટે ચુકાદો આપી શકે છે. આ યોજના હેઠળ કરાર (સંમતિ) દ્વારા કરાતી ફરિયાદ પતાવટની પ્રક્રિયા પણ સુધારી દેવામાં આવી છે. હાલની યોજનાની કલમ 13 (c) હેઠળ અસ્વીકાર કરી બંધ કરાયેલા ફરિયાદો માં પણ અપીલની મંજૂરી આપવામાં આવી છે, જે અગાઉ ઉપલબ્ધ ન હતી. રિઝર્વ બેન્કે તારીખ 16, જૂન, 2017 ના જાહેરનામુ બહાર પાડી બેંકિંગ ઓમબડ્સમેન યોજના 2006 માં સુધારો કર્યો છે. સુધારેલ યોજના 1 જુલાઇ, 2017 થી અમલ માં આવશે. સુધારેલ યોજના રિઝર્વ બેન્ક ની વેબસાઇટ /en/web/rbi/complaints/lodge-a-complaint-against-rbi ઉપર ઉપલબ્ધ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/3473 |